________________
વિયોગે દુઃખી થાય છે. જેમ જ્ઞાનનું સંસ્કારબળ વૃદ્ધિ પામે તેમ તેમ સમત્વ આવે છે.
પુણ્યપાપ સ્થાયી તત્ત્વ નથી. ભૌતિક સુખને મેળવવા ગમે તેવા પ્રયત્નો કરવા છતાં તે પુણ્યના ફળ પર આધારિત છે. દુઃખને દૂર કરવાના ઉપાય યોજવા છતાં દૂર થતું નથી, તે પાપના ફળનું પરિણામ છે. જડ પદાર્થો સાથે અનુકૂળતા કે પ્રતિકૂળતા ઇચ્છવી તે વ્યર્થ છે. એમ જાણીને આત્મ ગુણસ્વરૂપ સુખને માટે પ્રયાસ કરવો.
કંપરોગમેં વર્તમાન દુઃખ, અકરમાંહિ આગામી, ઇવિધ દોઉ દુઃખના કારણ, ભાખે અંતરજામી.
૪૫
કોઈ રોગીને હાથનો કંપવા થયો હોય ત્યારે હાથ ધ્રૂજ્યા કરે. તો તે સમયે તે રોગીને તેનું દુઃખ લાગે, પણ ધારો કે કોઈને વર્તમાનમાં તે રોગ અન્ય અંગોમાં નથી. પણ ભવિષ્યમાં તે કંપરોગ થશે તેવા ભયરૂપ દુઃખ હોય છે.
જેમ આપણે કોઈ મિત્રને હૃદયરોગનો હુમલો થયો તેમ સાંભળીએ તો ઘડીભર આપણને ભય પેદા થાય કે મને પણ આવો રોગ થશે ? વળી સંસારના અન્ય વ્યવસાયમાં એ ભય વિસારે પડી જાય છે, છતાં સંસારી જીવને આવો ભય રહેતો હોય છે. એટલે રોગમાં નિરોગીતામાં પણ જીવ તો દુઃખી હોય છે. એકને વર્તમાનમાં રોગ છે તેનું દુ:ખ છે, બીજાને તેવો રોગ થવાના ભયનું દુઃખ હોય છે. જ્ઞાની કહે છે ભાઈ પરિણામ-વિચાર બંને દુઃખદ છે.
હે સુન્ન ! તારે વિચારવાનું એ છે કે જીવને દુઃખ ગમતું નથી. જીવ ઇચ્છતો નથી છતાં દુ:ખ કેમ આવે છે ? એ દુઃખ આવવાનું કારણ શું છે. એ દુઃખ દૂર કરવાની ઇચ્છા છતાં દુઃખ દૂર કેમ થતું નથી ? મહદ્ અંશે જીવ વર્તમાન પરિસ્થિતિને આધીન વર્તતો હોવાથી દુ:ખ આવે ત્યારે કા૨ણ વિચારવાને બદલે દુઃખી થાય છે. તું રોગી હો કે નિરોગી પણ જ્યાં સુધી તું આત્માના અવ્યાબાધ સુખને પામતો નથી ત્યાં સુધી તે બંને અવસ્થા દેહ આશ્રયી હોવાથી દુ:ખદાયક જ છે.
૬૬
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org