________________
શ્રીપાળ જન્મ્યા રાજકુમા૨ તરીકે અને વર્ષો સુધી કોઢિયા સાથે જંગલમાં રખડવું પડ્યું. વળી પાછો પુણ્યોદય જાગ્યો. આમ જીવમાત્ર કર્મના સંયોગે કર્મની વિચિત્રતા પ્રમાણે સુખ-દુ:ખ ભોગવે છે. શુભ ક્યારે અશુભમાં ફેરવાઈ જાય તે બુદ્ધિશાળી માનવી કળી શકતો નથી. જમવાના ટેબલ પર નિરાંતે સુખે આરામ કરતા હોય અને અચાનક અશુભ સમાચાર આવે તો ભરેલું ભાણું પડ્યું રહે અને માનવી શોકમાં ડૂબી જાય. વળી કોઈ દરિદ્રને લૉટરી લાગી જાય અને ધનવાન થાય. આજનો કરોડપતિ વર્ષો પછી રોડપતિ થઈ જાય. નિરોગી રોગી થઈ જાય. આમ પુણ્ય-પાપના સંયોગે જીવ ઘડીમાં સુખી અને ઘડીમાં દુ:ખી થાય છે.
જ્ઞાનીજનો કહે છે કે માહાભાગ !
સુખદુઃખ સરજ્યાં જાણીએ રે, આપદ સંપદ હોય,
લીલા દેખી પર તણી રે, રોજ મ ધરશો કોયરે પ્રાણી. મન નાણો વિખવાદ એ તો કર્મ તણા પ્રસાદ.
-
પોતે સર્જન કરેલાં શુભાશુભ કર્મોનું પરિણામ સુખદ કે દુઃખદ હોય છે, તેમાં આશ્ચર્ય કે રોષ પામવા જેવું કંઈ નથી. પાણી કે આગના સંયોગે લોઢું ઠંડું કે ગરમ મનાય છે, તેમ અનુકૂળતા અને પ્રતિકૂળતાના યોગે સુખ કે દુ:ખ મનાય છે. અથવા પરપદાર્થોના ઇષ્ટાનિષ્ટમાં સુખ કે દુઃખ મનાય છે. વાસ્તવમાં તે તે પદાર્થોમાં સુખ-દુઃખ નથી તો તને સુખ-દુ:ખ કેવી રીતે આપી શકે ! જડ કે ચૈતન્યના સંયોગથી તે ઇષ્ટ કે પ્રિય હોય તો સુખ લાગે છે, અનિષ્ટ કે અપ્રિય હોય તો દુઃખ લાગે છે. જડ કે ચૈતન્યના સંયોગ કે વિયોગથી ઉત્પન્ન થતાં વિભાવમાં જીવે સંસ્કારવશ સુખ કે દુઃખ માન્યું છે.
એક માણસને વ્યાપારમાં બે લાખનો નફો થયો, તે ઘણો ખુશ થયો. થોડા સમય પછી બે લાખનું નકુસાન થયું. તે ઘણો દુ: ખી થયો. સુજ્ઞ સમાધાન મેળવે છે. નફો થયો તે લાંભાતરાયનો ક્ષયોપશમ હતો. અને નુકસાન થયું તો અંતરાય હતો. પણ જેને પુણ્યપાપની લીલાની વિચિત્રતા ખબર નથી તે તો ધનના સંયોગે સુખી અને
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org