________________
પુણ્ય કે પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા શાસ્ત્રકારોએ જણાવી છે. જે પુણ્ય મોહજનિત અને સુખભોગમાં જ ગૂંચવી કે મૂંઝવી દે તેવું પુણ્ય હોય તે પુણ્ય જીવને પાછો દુ:ખનો ભાગી બનાવે છે. પરંતુ જે પુણ્ય દ્વારા જીવ ધર્મમાર્ગને આરાધવાનાં સાધનોની પ્રાપ્તિ કરે છે તેવું પુણ્ય ભોમિયાની જેમ ઉપાદેય છે. તે પુણ્ય સૂકા સાકરના ટુકડા પર બેઠેલી માંખ જેવું છે. જેમ માખી સ્વાદ માણે છે પરંતુ ઊડી જવાની તૈયારી સાથે તે ગાંગડા પર બેસે છે. તેમ ઉત્તમ પુણ્યવાળો જીવ સુખભોગમાં છતાં સંસારને ત્યજી દેવાની શ્રદ્ધાવાળો છે. પરંતુ ચાસણી પર બેઠેલી માખી, બેસે કે તરત જ ચોંટી જાય છે. સ્વાદ ભોગવે છે અને દુઃખ પામી મરણ પામે છે. કેવું પુણ્ય બાંધવું તેને માટે જીવ સ્વતંત્ર છે.
પુણ્યોદયમાં મોહ પામવા જેવું નથી. તારું લક્ષ્ય મોહ નથી. પણ મોક્ષ છે. ઉત્કૃષ્ટ આરાધક જીવો તો દુઃખના નિમિત્તમાં પણ મોક્ષને સાધી ગયા. પાપ તિરસ્કારને પાત્ર નથી પણ પોતાનાં જ કરેલાં કર્મોનો તે પરિપાક છે. તેને સ્વીકારીને આત્મલક્ષ્યમાં જે પરિણતિ તદાકાર રાખે છે, તેને જેમ પુણ્ય છૂટી જાય છે તેમ પાપ પણ છૂટી જાય અને જીવ શુદ્ધ સ્વભાવને પામે છે.
જિમ સાણસી લોહનીરે, ક્ષણ પાણી ક્ષણ આગ, પાપ પુણ્યનો ઈણિવિધ નિર્ચે, ફળ જાણો મહાભાગ. ૪૪
લોઢાનું પાત્ર (સાણસી) પાણીના સંયોગે શીતળ બને અને આગના સંયોગે ગરમ બને તેમ જીવ પાપના યોગે દુઃખી થાય છે અને પુણ્યના યોગે સુખી થાય છે. વાસ્તવમાં બંને પાપ-પુણ્યનાં ફળ છે. જીવે કરેલા શુભાશુભ ભાવનું એ પરિણામ છે.
પુણ્યકર્મના યોગે સીતાને રામ જેવા પતિ મળ્યા. પણ અયોધ્યાના રાજાની રાણી થવા સર્જાયેલું ભાગ્ય અશુભના યોગે વનના પ્રવાસીપણે નિર્માણ થઈ ગયું ભલે રામ વનમાં દુઃખી ન હતા. સીતા પતિના વિરહમાં મહેલમાં દુઃખી થયાં હોત પણ વનમાં રામ સાથે સુખી હતાં. છતાં પણ ભૌતિક દૃષ્ટિએ જંગલ અને મહેલમાં પાપ-પુણ્યના ઉદયનું નિમિત્ત ખરું.
૬૪
પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org