________________
જગનો નકાર, વિના જીવના પરિવારવૃત્તિવાળું છે.
ખંડનું આધિપત્ય મેળવે, સ્વર્ગલોકના સુખ મેળવે, પરંતુ તે ભોગનો યોગ તેને અધોગતિગામી બનાવે છે.
અગાઉ જોયું તેમ જે પુણ્ય ભોગવૃત્તિવાળું છે, તે પુણ્ય યોગે મળેલું સુખ ભોગવતા જીવના પરિણામમાં વિકાર, અહંકાર, મમકાર, ત્યાગનો નકાર, વિષયમાં તદાકાર, તૃષ્ણાનો પોકાર છે. પાપનો પડકાર નથી. સ્વાર્થનો હકાર છે, તેમાં પરિણામે દુઃખનું આમંત્રણ છે. અજ્ઞા જીવ સુખમાં રહેલા આવાં છિદ્રોને જાણતો નથી તે પાછો દુઃખનાં સ્થાનોમાં જઈ પડે છે. તેમાં પુણ્યનો દોષ નથી, જો જીવને પુણ્યતત્ત્વના ભેદનું જ્ઞાન હોય તો તે પુણ્યના પ્રકાશ વડે પાપનો અંધકાર જરૂર દૂર કરે.
સત્કાર્ય કરનારો, નિઃસ્પૃહભાવવાળો જીવ પુણ્યનું ઉત્તમ બીજ વાવી કાળાંતરે સુખ ભોગવે છે અને ત્યાગે છે, પરંતુ દુષ્ટકર્મ આચરનારો પાપરૂપ બીજને વાવીને દુઃખને પામે છે, કારણ કે વ્યવહારનો નિયમ છે કે જેવું બીજ વાવે તેવું ફળ મળે. આંબાનું બીજ વાવનાર અમૃતફળ પામે છે, લીંબોળી વાવનાર લીમડાનું ફળ પામે છે.
હિંસાદિ, અશુભ કાર્યો છે, ક્રોધાદિ કષાય અશુભ પરિણામ છે. વિષયલોલુપતા વિકારી પરિણામ છે, આ સર્વે પાપપ્રકૃતિના ભાજન છે. અકાર્યનો કે અશુભ ભાવનો ત્યાગ કરી જે સત્કાર્ય કરે છે. શુભ ભાવના રાખે છે તે પુણ્યનું બીજ વાવે છે. કર્મના ફળનો આ અબાધિત નિયમ જિનેન્દ્ર પણ ફેરવી શક્યા નથી. હે સુજ્ઞ તું જાણે છે કે પાણીમાં ડૂબી જતાં લાકડું પકડીયે તો તરી જવાય અને પથ્થર બાંધી પાણીમાં પડીએ ડૂબી જવાય. માટે તરવાનો કામી પથ્થર નહિ પણ લાકડાનો આધાર લે છે. લાકડું હલકું છે, પત્થર ભારે છે તેથી ડૂબવાનું કારણ બને છે. એમ જે જીવ તરવાનો કામી છે તેણે ઉત્તમ પુણ્યનો આધાર લેવો પડશે. પાપનો આધાર લેનાર ડૂબે
વ્યવહારમાં કે પરમાર્થમાં અફર નિયમ છે કે જેનું કારણ હોય તેવું કાર્ય નિપજે છે. માટે પરમાર્થ માર્ગીએ ઉત્તમ કારણોનું અવલંબન
૬૨
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org