________________
બને. જે પુણ્ય મોક્ષમાર્ગનું નિમિત્ત બને.
સાકર ઉપર બેઠેલી માખ સાકરનો સ્વાદ ચાખે. અને સહેલાઈથી ઊડી જાય તેમ આ પુણ્યનો બંધ અને ઉદય હોય છે. શાલિભદ્રે નિઃસ્પૃહભાવે મુનિને આહાર દાન આપ્યું તેના પુણ્યયોગે અઢળક સંપત્તિ મળી. તેનો સદુપયોગ કર્યો અને તેનો ત્યાગ કરી મોક્ષમાર્ગની સાધના કરી.
૨. પાપાનુબંધી પુણ્ય ઃ પુણ્યનો ઉદય થાય અને પાપ બંધાય. સાકરની ચાસણી પર બેઠેલી માંખ પૂરો સ્વાદ ન લઈ શકે અને ચોંટીને ફસાઈ જાય તેમ જીવ પુણ્ય ભોગવે, પાપ બંધાતું જાય.
મમ્મણ શેઠે પૂર્વભવમાં મુનિને આહારદાન આપ્યું પણ પછી ખેદ થયો. દાનથી ફળસ્વરૂપે ધનપ્રાપ્તિ થઈ, પણ દાન પછીના ખેદને કારણે લોભની મૂર્છાએ ધનપ્રાપ્તિનો અતિ પરિશ્રમ કરી જીવનને વ્યર્થ કર્યું. અધોગતિ પામ્યો.
૩. પુણ્યાનુબંધી પાપ : પાપ-દુઃખનો ઉદય, પણ સહન કરવાના ગુણથી નવો અનુબંધ પુણ્યનો થાય. પથ્થર પર બેઠેલી માંખને ગળપણનો રસાસ્વાદ ન મળે પણ જલદી ઊડી શકે. ચાસણી પર ચોંટવા જેવું દુ:ખ ન પામે. પૂર્વના પાપકર્મના ઉદય અનુસાર રોહણીય ચોર બન્યો, પરંતુ પ્રભુ દેશનાનો જ્યારે મર્મ સમજ્યો ત્યારે સંસારનો ત્યાગ કરી પુણ્યયોગ પ્રભુ પાસે આત્મકલ્યાણ સાધ્યું.
૪. પાપાનુબંધી પાપ : પાપનો ઉદય થાય અને નવો અનુબંધ પણ પાપનો બને. વિષ્ટા પર બેઠેલી માખને ઇષ્ટ રસાસ્વાદ મળતો નથી. અને ઊડી પણ શકતી નથી.
કાળ સૌકીક કસાઈ પૂર્વકર્મના યોગે હિંસાનો ધંધો કરતો હતો. પરિણામે નવા પાપનો વિશેષ અનુબંધ કરી નરકગતિ પામ્યો. નલબલ જલ જિમ દેખો સંતો, ઊંચા ચઢત આકાશ; પાછા ઢલિ ભૂમિ પડે તિમ, જાણો પુણ્યપ્રકાશ.
૪૩
જળ ભરેલું વાદળું ઊંચે આકાશે તો ચઢે છે પરંતુ પવનના ધક્કે પાછું ભૂમિ પર વસે છે, તેમ પુણ્ય વડે જીવ કદાચ છ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૬૧
www.jainelibrary.org