________________
અને આનંદનો સ્વામી બને છે.
પુણ્ય પાપ દોય સમ કરી જાણો, ભેદ મ જાણો કોઉ; જિમ બેડી કંચન લોઢાની, બંધનરૂપ દોઉં.
૪૨
શુદ્ઘનયની દૃષ્ટિએ પુણ્ય અને પાપ બંને કર્મજનિત પ્રકૃતિ હોવાથી, તે સંસારના પરિભ્રમણનું કારણ છે. તેથી પુણ્યથી સુખ અને પાપથી દુઃખ એવો ભેદ કરવો નહિ. ધારો કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને કારણયોગે સજા થઈ, તે પ્રતિષ્ઠિત છે માટે તેને સોનાની બેડી પહેરાવીને બજારમાં ફેરવે, અને કોઈ રિદ્રિને અપરાધની સજા થતાં લોઢાની બેડી પહેરાવીને બજારમાં ફેરવે, તેથી કંઈ પહેલી વ્યક્તિ સોનાની બેડીને જોઈને સુખી થતી નથી, બંને બેડી બંધન હોવાથી દુઃખરૂપ જ છે. જે સુજ્ઞ જીવ આવો બોધ પામે છે તે પુણ્યથી મળેલા ધન-ધાન્ય સર્વનો યથાશક્તિ સદ્ઉપયોગ કરે છે. અને પાપના ઉદયમાં સમતા રાખે છે. પુણ્યને ભોગવવા જેવું માની તેમાં તાદાત્મ્ય કરતો નથી. અને પાપથી મૂંઝાઈને આર્તધ્યાન કરતો નથી. બંનેને પ્રકૃતિજન્ય માની યોગ્ય રીતે રહે છે.
પુણ્યનું સુખ હોય તો પણ તે શુભ કર્મ ૫૨ આધારિત હોવાથી, પરાધીન છે, જે પુણ્યના સુખમાં પરાધીનતા હોય તેને સુખ કેવી રીતે માનવું ? પૂર્વે સુકૃત્ય કરવાને કારણે જે શુભભાવ થયો તેને કારણે પુણ્ય થયું તે પુણ્યને સુખરૂપ કેવી રીતે માનવું ? જેમ કોઈ વ્યક્તિને ક્ષુધા કે તૃષાનો ઉપાય કરતાં સુખ લાગે છે. પરંતુ મર્યાદિત સમય પૂરતું જ સુખ છે. પરંતુ ક્ષુધા તૃષાનો સંસ્કાર તો ચાલુ રહે છે. તેમ પુણ્યજનિત સુખ મળતાં દુઃખ તેટલો સમય દૂર થાય છે પરંતુ દુ:ખ મૂળમાંથી નષ્ટ થતું નથી. જે સુખ નિત્ય ટકવાવાળું નથી તેને સુખ મનાતું નથી. માટે જ્ઞાની ભાન કરાવે છે. પુણ્ય-પાપને સમાન જાણો. પુણ્ય ભોગવતાં પુણ્ય બંધાય અને પાપ પણ બંધાય. વળી પાપ ભોગવતાં પાપ બંધાય અને પુણ્ય બંધાય. આમ ભોગ અને બંધમાં ભેદ છે. તેથી શાસ્ત્રકારોએ પુણ્ય-પાપના ચાર ભેદ બતાવ્યા છે.
૧. પુણ્યાનુબંધી પુણ્ય : જે પુણ્યનો ઉદય નવા પુણ્યબંધનો હેતુ
૬૦
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org