________________
સત્કાર્ય કે પરમાર્થમાં યોજવા માટે જીવે સત્સંગ, સંત સમાગમ કે સશાસ્ત્રનો આધાર લેવો અત્યંત જરૂરી છે. સ્વથી પરાડમુખ થયેલા મનને વળાંક આપી પરમાર્થ સન્મુખ કરવું તે દુર્લભ છે. છતાં મનની એ ખૂબી છે કે તેને વાળ્યું વળે ખરું. તેને સદ્ભાવના પ્રત્યે લઈ જવા આધાર જોઈએ છે અને તે સત્સંગાદિથી પ્રાપ્ત થાય તેમ છે. મનોયોગને શુદ્ધ ભાવમાં જોડવાથી વચનયોગ અને કાયયોગ સહજ રીતે શુદ્ધપણે વર્તે છે.
સવિશેષ અનિત્યાદિભાવના, મૈત્રી આદિ ભાવનાથી મન જો ભાવિત થાય તો તે શુદ્ધ ભાવમાં સહેજે ટકે છે. નવકારમંત્રના સ્મરણમાં રહેવાથી સરળપણે મન શુભ ભાવમાં દોરાય છે. તત્ત્વના ચિંતનની જો ચાવી મળે તો મનની ચંચળતા શમે છે. મન ભક્તિમાં જોડાય તો વિકારો શમે છે. મનને બોધરૂપે પરિણમવામાં સત્સંગ અમોઘસાધન છે. વચનયોગની નિર્દોષ શક્તિ મૌનમાંથી પ્રગટ થાય છે. એ મૌનમાં પરિણામની શુદ્ધતા હોય તો મૌન પછીનો ઉચ્ચાર સ્વ-પરહિતકારી છે. વચનશુદ્ધિ માટે તત્ત્વપ્રેરક કે વૈરાગ્યપ્રેરક પદો, શ્લોકો ભક્તિગીતોનું ગાન કરવું કે ધ્વનિ દ્વારા મંત્રનું રટણ કરવું.
કાયયોગનો માનવ સઉપયોગ કરવાનો પૂર્ણ અધિકારી છે. એ દેહના સાધન દ્વારા જીવ મોક્ષમાર્ગનું સાધ્ય સિદ્ધિ કરી શકે છે. તે માટે કાયાને પૂરી સંયમમાં રાખવી પડે છે. અસંયમ કે વિષયસેવન દ્વારા મલિન થયેલો કાયયોગ મોક્ષમાર્ગને યોગ્ય રહેતો નથી. જેમ શુદ્ધભાવ એ આંતરિક ચારિત્ર છે તેમ સંયમિત દેહ બાહ્ય ચારિત્ર
પ્રારંભની ભૂમિકામાં પરોપકાર જેવાં કાર્યો પણ દેહના સાધન વડે થઈ શકે છે. પરોપકાર સન્માર્ગનું બાહ્ય સાધન છે. અને અહિંસાદિભાવ એ સ્વઉપકારી હોવાથી સાધ્ય છે.
આમ ત્રિકરણયોગને શુભ ભાવમાં ધારણ કરવાથી સન્માર્ગ અને ઉન્માર્ગનો યથાર્થ ભેદ સમજાય છે. વિષય અને નિર્વિષયનો ભેદ સમજાય છે. વિષ અને અમૃતના અંતરની જેમ ભોગ અને ત્યાગનો ભેદ સમજાય છે. આ ભેદ યથાર્થપણે સમજાવાથી જીવ સાચા સુખ
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org