________________
વશ રહે તેમ છે. માટે મનને શુદ્ધ અનુષ્ઠાનના અવલંબનમાં કે શુભ ધ્યાનમાં, મંત્રજપમાં જોડેલું રાખવું.
વચનયોગ એ મનુષ્યને મળેલી વિશિષ્ટ ભેટ છે. આવી સ્પષ્ટ વાચા મળવી તે પુણ્યયોગ છે. સંજ્ઞી પંચેન્દ્રિયને તે તે દેહને યોગ્ય વાચા મળી છે. પરંતુ તેના સદ્ઉપયોગ માટે માનવ જ સ્વાધીન છે નારકીને મળેલી વાચા ક્રૂર પરિણામ ભળ્યા હોવાથી કેવળ ‘મારો કાપો' સિવાય અન્ય કંઈ બોલી શકતી નથી. દેવલોકની ભોગભૂમિમાં વાચા ભોગના ભાવ મિશ્રિત હોય છે તેથી ત્યાં પણ પ્રાયઃ સદ્ઉપયોગ નથી. અને સંન્ની તિર્યંચ પંચેન્દ્રિયને તેમની જાતિ પ્રમાણે મળેલી વાચાનો ઉપયોગ કેવળ પ્રાકૃતિક છે. તેની પાછળ કોઈ ૫રમાર્થ ભાવ જોડાઈ શકતો નથી. એટલે વચન મળવા છતાં પણ તે પૌદ્ગલિક સત્તાને આધીન છે.
વચનયોગનું મૂળ પૌદ્ગલિક છે પરંતુ તેની પાછળ પુદ્ગલના સંયોગથી સ્ફુરિત થતા આત્માનું વિશેષ પરિણામ દરેક કણને યોગ બનાવે છે. એવા વચનયોગનો સદ્ઉપયોગ માનવ જન્મમાં સંભવિત છે. એ વચનનો ઉપયોગ ગુણગાન બોલવામાં, હિત વચન બોલવામાં મધુરભાષી કે અલ્પભાષી થવાનો છે. સ્વ-૫૨ હિતકારી વચન બોલવાનો કેવો ઉત્તમ અવસર મળ્યો છે તેને કેમ ગુમાવી દે છે ? વચનને પુષ્પ માનજે. પુણ્ય જેમ સૌંદર્ય અને સુવાસને પ્રગટ કરે છે. તેમ તું વચનને પ્રગટ કરજે.
કાયયોગ એટલે શરીર અને ઇન્દ્રિયોની ચેષ્ટા. પ્રત્યેક ચેષ્ટા નિર્વિકાર બને તો તે મન શુદ્ધભાવ સન્મુખ થાય. દેહ છે તેની સાથે તેના ધર્મો કે વ્યવહાર છે. તે તે વ્યવહારાદિમાં સંયમની પ્રધાનતા હોય તો આ કાવ્યયોગ પૌદ્ગલિક છતાં પરમાર્થનું નિમિત્ત – સાધન બને છે. આ એક માનવદેહને મળેલી વિશિષ્ટતા છે. પણ એ પુરવાર ક્યારે થાય ! જો આ માનવદેહ કાયયોગ પારમાર્થિકપણે પ્રવર્તે તો !
અર્થાત્ મન દુર્ધ્યાન કે દુર્ભાવ, આર્ત્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે શુભધ્યાન કે શુદ્ધભાવમાં રહેવા નિરંતર પ્રયત્ન કરે. મનને આવા
૫૮
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org