________________
આપશે. માનવજન્મ ધરીને તને બુદ્ધિ મળી છે તેનો સદ્ઉપયોગ આત્મ સન્મુખ થવામાં છે. તું કદાચ માનતો હોય કે મને મળેલી પૌદ્ગલિક વસ્તુઓ ઉપર મારો અધિકાર છે. પણ ભાઈ ! તું શરીરમાં આવતા રોગને કે જરાને અટકાવી શકતો નથી. અશુભના યોગે ધનના વિયોગને અટકાવી શકતો નથી. અપયશને યશમાં ફેરવી શકતો નથી. અર્થાત્ પુદ્ગલ તારી સત્તામાં નથી, પરંતુ પુદ્ગલે તારા પર સત્તા જરૂર જમાવી છે કે જેથી તું તેને પળભર પણ ત્યજી શકતો નથી, તેમાં તને સફળતા મળે તેમ નથી. તારી અનિચ્છા છતાં તને દુ:ખ આપે તેવા પ્રસંગો ઊભા થાય છે. અને તે સમયે તારે તે પ્રસંગને આધીન થવું પડે છે.
કદાચ તને લાગે કે મેં પરિશ્રમથી આ બધું મેળવ્યું, હવે તેને છોડવું તેના કરતાં ભોગવી લેવું. ભાઈ ! દરેક જન્મે તને તારા યોગ પ્રમાણે પૌદ્ગલિક પદાર્થો મળશે. અને તું દરેક વખતે આવી કલ્પનામાં રહેશે તો આત્મસન્મુખ ક્યારે થશે ? માટે તારી જ્યાં સત્તા છે, સ્વાધીનતા છે, તેનો ઉપયોગ કર. તારી સ્વાધીનતા તારા સ્વગુણમાં છે, જે ક્ષમા શાંતિ સમતા કે વૈરાગ્યરૂપે રહેલા છે, જેના પ્રગટવાથી સાચું સુખ મળે છે.
આત્મ સન્મુખ થવા માટે પ્રથમ તને મળેલાં ત્રણ સાધન છે. મન, વચન અને કાયાના યોગ. આ ત્રણ યોગ તારા કર્મજનિત સંસ્કાર પ્રમાણે પ્રવર્તે છે.
મન અનેક પ્રકારના જડ પદાર્થો પર સત્તા જમાવવાના મનસૂબા ઘડે છે. ગમતા પદાર્થો પ્રત્યે રાગ કરી રાચે છે. અણગમતા પદાર્થો પ્રત્યે દ્વેષ કરી પીડા પામે છે. વાસ્તવમાં તે તે પદાર્થો તારી સત્તામાં છે જ નહિ તેમનું પરિણમન તમને સ્વાધીન છે, અથવા જે તે પ્રકૃતિના ઉદયને વશ છે. તું તેમાં ફેરફાર કરી શકે તેમ નથી. ફક્ત તું તારા શુદ્ધ ભાવમાં રહે તો તે પ્રકૃતિજન્ય ઉદય સમાપ્ત થઈ જશે. વળી આ મન ખૂબ જૂના સંસ્કારોથી વાસિત છે. તેની પાસે વિકલ્પોનો ખજાનો છે. ચંચળતા એનું જાતિય લક્ષણ છે. અતિ વેગવાળું છે. એવું મન કેવળ આત્મજ્ઞાને કરીને, શુદ્ધ ભાવ વડે જ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૫૦
www.jainelibrary.org