SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વળી વિષયસુખના વિકારના સંસ્કાર આત્માના પ્રદેશો પર કર્મની છાપ પાડતા જાય. એટલે સ્વરૂપ વિસ્મરણથી થયેલા જે પૌદ્ગલિક ભાવ છે, તે આત્મગુણને હાનિ પહોંચાડી નવા જન્મોનું કર્મ બંધાવે છે. મહદ્ અંશે જીવ વિષયારસમાં આસક્ત બની જે માનવજન્મની ઉચ્ચ અવસ્થામાં છે ત્યાંથી નીચે ઊતરતો જાય. અર્થાત્ તિર્યંચ જેવી અશુભગતિને પ્રાપ્ત કરે છે. જ્ઞાનીજનો પદાર્થનું આવું સ્વરૂપ જાણવાથી નિઃસ્પૃહભાવે જીવોને વસ્તુનું ભાન કરાવે છે કે તમે સત્ને ગ્રહણ કરો અસત્ને છોડો. વિષયાસક્ત જીવને આ હકીકત સમજાય નહિ. રુચે નહિ, માન્યતામાં બેસે નહિ તેથી આવા બોધ પ્રત્યે અનાદર સેવે, પરંતુ તેથી કંઈ વસ્તુનું પરિણામ ફોક નીવડતું નથી. ઝેરને ઝેરરૂપે ન જાણીને ખાય તેથી કંઈ વ્યક્તિને જીવન પ્રાપ્ત થતું નથી. જીવને જાણવાની જરૂર છે કે જેમ ઝેરનું પરિણામ મૃત્યુમાં આવે છે, તેમ વિષય ભોગનું પરિણામ પણ ફોક થતું નથી. જો આત્મિક સંયમાદિમાં સુખ ન હોત તો રાજા, સમ્રાટ, બુદ્ધિમાન, વિચક્ષણ જીવો તેમને મળેલા અનેક પ્રકારનાં સુખોનો ત્યાગ કરીને જંગલની વાટે નીકળ્યા ન હોત. અને જંગલનાં કષ્ટો વેઠીને અંતે તેમણે જે પ્રાપ્ત કર્યું તેને જગતના જીવો પાસે પ્રસિદ્ધ કરવા જેવું પણ ન હોત. વળી જો આત્મિકજ્ઞાનમાં સુખ ન હોત તો સત્તાધારી, સંપત્તિવાન કે બુદ્ધિમાન ભૂતકાળમાં કે વર્તમાનમાં જંગલમાં વસતા અપરિગ્રહી સાધુ સંતો ને ચરણે નમે પણ નહિ. ત્યાં તેમનું શિર ઝૂકે નહિ. તેમનાં ચરણમાં ઝૂકવાથી તેમને શું મળવાનું છે ? ભૌતિક રીતે વિચારીએ તો પણ તેમના સંસાર સુખ સચવાય તેવા આશીર્વાદની અપેક્ષા ખરી. અને પાત્ર જીવો તો તેમના માર્ગે ચાલવાની અભિલાષા રાખે છે. તેથી પણ હે સુજ્ઞ ! તું શ્રદ્ધા કર કે સુખ નિર્વિષયી થવામાં છે. ઉપર કહી તે હકીકતનો સ્વીકાર કરીને તું વિષયોથી વિમુખ થા. રોગ થતાં કે વૃદ્ધાવસ્થા આવતાં જો તું તેને લાચારીથી છોડીશ તો તેથી કાંઈ લાભ નથી. પરંતુ પૂર્વના વિષયના વિકારો તને પીડા ૫૬ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy