SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયો સાથે સંયોગ થવાથી અનુકૂળ પ્રતિકૂળ વિકૃતિઓ પેદા થાય છે તેમા જીવ દેહાધ્યાસી સુખદુઃખની કલ્પના કરે છે. વિષયરસિક જીવ આત્માના ગુણોને જાણતો નથી. ઊજળા દેખાતા પિત્તળને અજ્ઞ જીવ સોનું સમજે છે, અને તે મેળવીને રાજી થાય છે. વિષયો મૂળમાં તો જડના વિકારો છે, તેના સંયોગમાં ચૈતન્યસ્વરૂપ આત્માને સુખ કેવું ? કિંપાકફળ ભલેને સુંદર હોય પણ તેના મૂળમાં વિષ છે. ત્યાં અમૃતની આશા કેવી ? પૌદ્ગલિક વસ્તુઓ મેળવી તેના ભોગમાં ભલે માનવ સુખ માને, તે વસ્તુઓનો વધુ સંગ્રહ કરે, તેમાં મોટાઈ માની રાચે પણ, ભાઈ ! જો વાસ્તવમાં તે સુખ હોત તો દેહાંતર થતાં સાથે આવી શકે. તેમ થતું જોવામાં આવ્યું નથી અને આવશે પણ નહિ. માટે લોભામણાં એ જડ પદાર્થોના વિષયનો ત્યાગ એ જ તારે માટે સુખનો ઉપાય છે. કંપાક ફળ વિષયુક્ત છે તેમ તને જ્ઞાન થાય પછી પણ ભલા ! તું તેનો ભોગ કરે ? ‘ના.' વિષયભોગ વિષે તને જ્ઞાન થતાં તે પણ છૂટી જશે. ફલ કંપાથકી એકજ ભવ, પ્રાણ હરણ દુઃખ પાવે; ઇન્દ્રિયજનિત વિષયરસ તે તો, ચિંહુ ગતિમેં ભરમાવે. ૪૦ એહવું જાણિ વિષયસુખસેંતી, વિમુખ રૂપ નિત રહીયે; ત્રિકરણયોગે શુદ્ધ ભાવ ધર, ભેદ યથારથ લહિયે. એ હકીકત તો ખૂબ જ પ્રચલિત છે કે વિષભરેલું કિંપાક ફળ તેના સૌંદર્યથી અજાણ વ્યક્તિમાં આકર્ષણ પેદા કરે છે, અને તેને ખાનાર વ્યક્તિ મરણને શરણ થાય છે, પરંતુ ઇન્દ્રિય વિષય તો તેનાથી પણ વિશેષ લોભામણા છે. અને તે બધા ક્ષણિક છે કે ટકતા નથી. તેથી મન પુનઃ પુનઃ તે વિષયની માંગ કરે છે. જે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તે જ સમજી શકે છે કે આ વિષયરસમાં મગ્ન થતો ઉપયોગ સ્વરૂપના ભાન રહિત બને છે તે ભાવમરણ છે, જેટલી વાર જેટલો સમય જીવ તે પ્રત્યે આકર્ષાય છે, ભોગવે છે તેટલી વા૨ તે સમયે તે ભાવમરણને પામે છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International ૪૧ For Private & Personal Use Only ૫૫ www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy