________________
કાલ્પનિક છે છતાં તેમાંથી સુખ અને આનંદ મેળવવા નિરંતર ઉદ્યમ કરે છે, અને વળી અલ્પાધિક સુખાભાસ મળી જતાં તે માને છે મેં કંઈક મેળવ્યું. તેને તે સુખના સત્ કે અસતનું જ્ઞાન નથી. કિપાકનામનું ફળ દેખાવે સુંદર, સ્વાદે મધુર પરંતુ વિષયુક્ત હોય છે. તે ફળનું આવું રહસ્ય ન જાણનાર તેને આરોગે છે અને મરણને શરણ થાય છે. તે જ રીતે માનવમાત્ર વર્તમાનમાં સુખનો આભાસ પેદા કરતાં ઇન્દ્રિયજનિત અસમાં જ સત્નો આરોપ કરી સુખ માણે છે અને પરિણામે દુઃખ આણે છે. કદાચ સાચું-ખોટું વિચારે તો સતુ-અસતની તુલના કરી શકતો નથી. પરંતુ અસતમાં જ સાચા ખોટાની તુલના કરે છે. તે તુલના ભ્રામક છે. કારણ કે પ્રારંભમાં લાગતા સુખદાયક પદાર્થો સમય જતાં દુઃખમય લાગે છે. અન્ય કરતાં મારું ઘર સારું, મારી સંપત્તિ વિશેષ છે. અન્ય કરતાં હું મોટો છું, જોવા કરતાં સાંભળવું સારું એમ તુલના કરે છે. અમુક સુગંધ કરતા અમુક સુગંધ સારી એમ તુલના કરે છે, જેમ સંસારમાં દીકરો હોંશે પરણાવે, વહુને લાડ કરે, પછી એ જ વહુ અપ્રિય લાગે. બાળકને માનો ખોળો સર્વસ્વ લાગે એ મા પત્ની આવ્યા પછી અપ્રિય લાગે. આમ જડ અને ચેતન પદાર્થો પ્રત્યે મન:સ્થિતિ બદલાતી રહે છે, તેમ તેમ સુખ-દુઃખની કલ્પના પણ બદલાય છે. અને તેમાં જ સુખની તુલના કરે તો તે વ્યર્થ છે. કલ્પના અને તુલના એ સત્ નથી. - પ્રાણીમાત્રને સુખ જોઈએ છે. તે સુખ ત્યાગથી કે ભોગથી મળે છે. ત્યાગથી મળેલું સુખ ઉત્તરોત્તર પૂર્ણતા તરફ જાય છે. ભોગથી મળેલું સુખ કિંપાકફળની જેમ ઠગારું નીવડે છે.
અન્ન એવો માનવ પૌદ્ગલિક વસ્તુઓના ભોગથી સુખ મળશે તેમ માને છે. તેથી જડ વસ્તુઓનો ઉપયોગ કરી જેમાં સુખ જ નથી તેમાંથી સુખ શોધવા પૂરું આયુષ્ય ખર્ચી નાંખે છે. પૌદ્ગલિક સુખના રસિયા મન દ્વારા આત્માને પીડા પહોંચાડીને પણ સુખ ભોગવવા પ્રયાસ કરે છે. પાંચ ઇન્દ્રિયો શું છે ? જડનાં લક્ષણ જડસ્વરૂપે છે, તે આત્માને સુખ આપી શકે તેમ નથી. પરપદાર્થોનો
૫૪
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org