________________
સુખની તો તેને સમજ જ ક્યાંથી હોય ? તેની બુદ્ધિ ઇન્દ્રિયોની ક્રિયા અને મનના કલ્પિત તરંગ સુધી મર્યાદામાં બંધાઈ ગઈ છે. તેથી તેને આત્મિક સુખની વાત ભ્રમ જેવી લાગે છે. તે વિચારે છે કે જો આત્મા હોય તો આ બધું જેમ મને પ્રત્યક્ષ જણાય છે તેમ તે જણાતો કેમ નથી ? અરે ભાઈ ! આત્મા સ્વયં પ્રકાશિત છે. તેના સંચાર અને ફુરણાથી તું આ સર્વ ક્રિયા કરી રહ્યો છે. તેં ક્યારે પણ મૃતદેહ જોયો હશે ! તેમાં ઇન્દ્રિયો હોવા છતાં તે કંઈ ખાતોપીતો કેમ નથી ? તેનું મૂલ્ય કેમ કોડી જેવું બને છે ? તેને સૌ કાઢવાની વાત કેમ કરે છે ?
પુદ્ગલ આશ્રયે થયેલા ભાવોને કારણે અજ્ઞાની જીવ એમ જાણે છે કે આ હું કરું છું, હું ભોગવું છું. પરંતુ બાહ્ય પદાર્થોમાં તું કંઈ કરી શકતો નથી. ફક્ત તું તે તે પદાર્થોના નિમિત્તે રાગદ્વેષ કરે છે અને બંધાય છે. નિર્દોષ સુખનો મહિમા તેને ખબર નથી. ક્વચિત્ દુઃખની સીમા હોય છે, પણ સુખની સીમા નથી.
મનુષ્યને મળેલા પદાર્થોના સુખની સીમા હોય છે.
દેવોનાં આયુષ્ય દીર્ઘકાળવાળાં હોય તો તેમના સુખની પણ સીમા છે.
અરે ! તિર્યંચના દુઃખની પણ સીમા હોય તે સહી શકે તેટલા દુ:ખનો અનુભવ જ તેમને થાય છે.
અરે ! નારકીના જીવોના દુઃખોનો પણ સમય પાકી જાય છે.
પરંતુ આત્મના નિર્મમત્વભાવનું સુખ એક વાર પ્રગટ થયું પછી અસીમ છે. વિષયાકાંક્ષા રહિત નિરામય સુખની ગંગા અનંત એવા આત્માના અમૃતસાગરમાં જઈને ભળે છે. આવો મર્મ વિરલા જ જાણે છે.
ઈદ્રિયજનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે; પણ કિંધાકાણાં ફલની પરે, નવિ વિપાક તસ જાણે. ૩૯
દેહધારીને દેહનો, ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર સુખ મળતું નથી. વિષયસેવન સમયે તેને લાગે છે કે સુખ મળે છે. તે સુખ
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
પ3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org