________________
એમ બની જાય ત્યારે વિચારે કે હવે મોટો ઉદ્યોગપતિ ક્યારે થાઉં ? તેમ બને પછી તેને થાય કે ઈન્દ્રની સંપત્તિ ક્યારે મળવું ? અને કદાચ ઈન્દ્ર બની જાય તો તેને થાય હવે એનાથી કંઈ આગળ છે કે નહીં ! કહો આવી તૃષ્ણા ક્યાં જઈને તૃપ્ત થાય ! એમ કરતાં આયુષ્ય પૂરું થાય. જે દેહમાં રહી મનસૂબા કર્યા હતા તે દેહ લાકડા ભેગો થઈ જવા છતાં તૃષ્ણા તો મરે જ નહિ.
પુદ્ગલિકસુખના આસ્વાદી, એહ મરમ નવિ જાણે; જિમ જાલંધ પુરુષ દિનકરનું, તેજ નવિ પહેચાણે. ૩૮
પૌદ્ગલિક સુખના આસ્વાદીનું મન નિરંતર તેવાં સ્થાનોમાં ભમ્યા કરે છે. તેને ગરમી હોય ત્યારે એમ થાય છે કે ઠંડો પદાર્થ ક્યારે મળે ? ઠંડી હવા ક્યારે મળે ? ઠંડીની ઋતુમાં તેને થાય છે કે ગરમ આહાર ક્યારે મળે. ગરમ કપડાં ક્યારે પહેરું, ત્યાં કંઈક ઠેકાણું પડે ત્યાં તો સુંદર પદાર્થો ક્યારે મળશે ? મીઠી મધુર વસ્તુઓ
ક્યાં મળે તેની શોધ કરે છે. તેવી વસ્તુઓ બનાવરાવે છે અને તેને આરોગવામાં સુખ માને છે. ત્યાં વળી રસના કહે છે કેવળ મીઠાઈમાં મજા નથી, સાથે તીખાં-ખાટાં ફરસાણો જોઈએ અને તે પદાર્થો મેળવીને આરોગે છે. તેમાં આવતી સોડમથી ખુશ થાય છે. તે તે પદાર્થોને સુંઘતો જાય અને ખાતો જાય. તે વખતે તેને એમ લાગે છે કે દુનિયામાં આના જેવું સુખ ક્યાંય નહિ હોય. ત્યાં વળી ટી.વી. જેવાં સાધનો સામે બેસીને આંખને ખુશ કરે છે. દશ્યો જુએ છે, રડે છે, હસે છે, કૂદે છે, બેસે છે, તેમાં થાક લાગે તો કાનને કંઈક સાંભળવાનું આપે છે. ઇયરફોન કાનમાં ખોસી આરામખુરશી પર બેસી મજાથી સાંભળે છે. વળી વિષયાંતર કરે છે. આમ પૌગલિક પદાર્થોમાં મન ચક્કર માર્યા જ કરે છે. ઇન્દ્રિયો થાકે, વિષયો ખૂટે ત્યારે વળી માનસિક સ્મૃતિ વડે તે તે વિષયના ભોગમાં રાચે છે. પણ તે આત્મિક સુખનો મર્મ જાણતો નથી.
અંધ માનવને જેમ જન્મથી સૂર્યના પ્રકાશનું જ્ઞાન નથી તેમ એ જીવને નિરામય, નિર્દોષ કે સ્વાધીન આત્મિક સુખની ખબર નથી. આત્મા શું છે એ વાત તેની સમજમાં આવી નથી, ત્યાં તેના
પર
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org