________________
લોભથી ઘેરાયેલા તેને ધાર્યા પ્રમાણે મળી જાય પછી તેની મહત્ત્વાકાંક્ષા ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. જો તેની પાસે ધન વધી જાય તો તેની અધિક વૃદ્ધિ કરવા વળી પ્રપંચ આદરે છે. ચક્રવર્તી પણ વધતા પરિગ્રહને ઇચ્છે છે. આભને છેડો નથી તેમ જીવની લોભપ્રકૃતિનો કંઈ છેડો નથી. લોભનો કોઈ થોભ નહિ. લોભથી ક્ષોભ પામેલો જીવ વિચારી શકતો નથી કે આ લોભમાં મને કંઈ લાભ ખરો કે નહિ !
મૃગજળની પાછળ મૃગ દોડે તેમ વિષયથી આક્રાંત થયેલો જીવ દોડ્યા કરે છે પણ તેને તૃપ્તિ થતી નથી. તૃષ્ણા અને લોભનું યુગલ માનવને બેચેન બનાવે છે. રોજે નવું નવું મેળવવા લોભ તેને આકુળ કરે છે. અને તૃષ્ણા નવી નવી આશાઓ ઊભી કરે છે. અપેયજળ – મૃગજળથી તૃષા કેમ છીપે ? જ્યાં મૂળમાં જળ નથી ત્યાં તેનું પાન કેવી રીતે થઈ શકે ? તેમ જેનામાં સંતોષ નથી એવી તૃષ્ણા ક્યાંથી છીપે ?
નારદજીની ભલામણથી એક દરિદ્રિ કુબેર પાસે ધન મેળવવા ગયો. નારદજીની ચિઠ્ઠી હોવાથી કુબેરે જાતે પેલા દરિદ્રિના પાત્રમાં ધન્ આપવા માંડ્યું. પણ આ શું ? કુબેરના કેટલાય ખજાના પેલા પાત્રમાં ઠાલવવા છતાં પાત્ર તો અપૂર્ણ જ રહ્યું. કુબેરે વિચાર્યું આ કોઈ દેવ દરિદ્રનું રૂપ ધારણ કરીને આવ્યો છે કે શું ? પણ તેનાં ચિહનો માનવનાં હતાં. આંખ પલકપલક થતી હતી. કુબેરે પોતાની લબ્ધિ વડે પેલું પાત્ર જોયું. ઓહ ! આ તો મનુષ્યની ખોપરીનું બનેલું પાત્ર છે. તેમણે નારદજીને વિનંતી કરી કે આ ધરતીના માનવને અહીં સુધી મોકલશો જ નહિ. માનવની બુદ્ધિનો જવાબ માનવ આપી દેશે.
જગતમાં સંપત્તિનો કે પદનો છેડો આવે પણ આ તૃષ્ણાનો છેડો ક્યાં ? સુખેથી રોટલા રળી લેતો હોય તો પણ તેના મોટા ભાગનો માનસિક સમય તો આ હોદ્દા પરથી ઊડીને આગળના હોદ્દા પર ચોંટ્યો હોય, જો તેને તે સમયે ધારેલો હોદો મળી જાય તો વળી વિચારે કે મોટા પ્રમુખ-પ્રેસિડેન્ટ ક્યારે થાઉં ? કદાચ ભાગ્યયોગે
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org