SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જાય અથવા અણધાર્યું વરસી પડે. તેમ તને મળેલા દેહ અને ઇન્દ્રિયોનો ભરોસો શું રાખવો ? ગમે ત્યારે રોગાદિ દગો કરે અને તારે સુખને બદલે દુઃખ ભોગવવું પડે. કોઈએ મનને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભાઈ ! હવે છોડ, આ પિંજરું થાક્યું છે. ઘડપણ આવ્યું, ઇન્દ્રિયો થાકી છે. ત્યારે મન વળી નવું પિંજરું માગે. રોગ આવે ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી ન શકે ત્યારે મન દુઃખી થઈ જાય. પણ તૃપ્ત તો થાય જ નહિ. ફક્ત યોગીજનો જ જ્ઞાનબળે એને સંતુષ્ટ કરી શક્યા છે. - સામાન્ય સંસારી ધર્મના આધાર પર જ આ મનને કંઈક ધરપત આપી શકે છે. સમજ આપી શકે છે. ભાઈ આ મન અને ઇન્દ્રિયો વિષયોનો અક્ષય ખજાનો છે, છતાં તું ધરાતો નથી. પણ તેમાં વધારો કરવા નવા નવા સાધનો ઉમેરતો જાય છે. અન્યત્ર જવાની વેળા આવે છે ત્યારે તું ક્ષોભ પામે છે. માટે બોધ પામ કે ઈધન વડે અગ્નિ પ્રજળતો જ રહે છે, તેમ આ ઇચ્છાઓ તો વિષયો વડે પ્રજ્વલિત થતી રહે છે. તેને આરો કે છેડો નથી. એ આવા કેટલાય જન્મને સ્વાહા કરી ગઈ. માટે ઘી હોમવાનું બંધ કરી જળસિંચનથી જેમ અગ્નિને શાંત કરાય છે તેમ સંતોષ વડે મનને શાંત કરવું. જિમ જિમ અધિક વિષય સુખ સેવે, તિમ તિમ તૃષ્ણા દીપે; જિમ અપેયજલ પાન કીયાથી, તૃષ્ણા કહો કિમ છીએ? ૩૭ ઇન્દ્રિયોના વિષયની રચના જ સાપ છછુંદર ગળે એના જેવી છે. વિષયોનો ભોગ કરે ત્યારે લાગે હવે જરૂર નહિ પડે. ઘણું જોયું ઘણું ખાધું પણ થોડો સમય ગયો કે પાછી એ ઈન્દ્રિયોની માંગ ચાલુ રહે છે. અને જેમ જેમ પદાર્થો મળતા જાય તેમ તેમ તેની તૃષ્ણા વધતી જાય. તૃષ્ણા સાથે લોભ ભળે પછી તો જીવ પરાધીન બને છે. લોભના સામ્રાજ્યમાં તેનામાં અંધકાર વ્યાપી જાય છે. તેનું મન સતત વિચારોમાં જ ગૂંચાયેલું રહે છે કે ક્યાંથી શું મેળવું, કેમ મેળવું, વધુ કેમ મળે ? અને પછી એ મેળવવા જાતભાતના વિકલ્પો કરે છે. પ૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy