________________
કરાવનાર કોઈ પરિણામ છે ? તને જરૂર સાચી દિશા મળશે. અને ભ્રમ ટળી જશે. તારી બુદ્ધિમાં – જ્ઞાનમાં સમજાશે. જો દેવલોકનું સુખ અનંતવાર પામવા છતાં ક્યાંય સુખ મળ્યું નથી તો જરૂર સુખનું સ્થાન કંઈ અન્ય હોવું જોઈએ.
પુદ્ગલિક સુખ સેવત અહનિશ, મન ઈન્દ્રિય ન ધાવે; જિમ વૃત મધુ આહૂતિ દેતાં, અગ્નિ શીત નવિ થાવ. ૩૬
આ એક વિરાટ પ્રશ્ન છે કે “સુખ' ક્યાં છે? સુખ ઇચ્છતો માનવી દોડાદોડ કરે છે. તેને પૂછીએ કે, તું સુખ પામ્યો ! તો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. રોજબરોજ, અહર્નિશ, રાત્રિ-દિવસ તું સુખને ઇચ્છતો, સુખને શોધતો, સુખને ભોગવતો હોવા છતાં તારા મન ઇન્દ્રિયને સંતોષ છે ! તેમને તને કહ્યું કે હવે બસ થઈ. ધાર કે આંખ કોઈ પદાર્થ જોઈ જોઈને થાકે, નાક સુગંધથી થાકે, કાન શ્રવણથી થાકે, પેટ ભરાઈ જાય, જીભ થાકે, પણ તારું મન થાકે છે ? તે તો રોજ નવું નવું શોધે છે. કાન થાકે તો આંખને લલચાવે છે. આંખ થાકે તો જીભને કામ સોંપે છે. પણ મને ક્યારેય ધરાતું નથી.
જેમ બળતા અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ ઠંડો પડતો નથી, વધુ પ્રજ્વલિત થાય છે. જો અગ્નિને ઠંડો કરવો હોય તો ઘીને બદલે જળ સિંચન કરવું પડે. તેમ મન અને ઈન્દ્રિયોના વિષયને જો શાંત કરવા હોય તો આત્મજ્ઞાનનું સિંચન કરવું પડે. સંજ્ઞા અને સંસ્કારવશ ઈન્દ્રિયોનું કાર્ય વિષયનું ભાન કરાવવાનું છે. મનમાં પૂર્વ સંસ્કારનું બળ છે તેથી ઈન્દ્રિયોએ શોધેલા વિષયોમાં તે મસ્ત બને છે. પણ તે ધરાતું નથી. રોજ નવા નવા વિષય માંગે છે. એક રંગથી કેમ ચાલે ? અનેક રંગ જોઈએ. એકલી મીઠાઈથી કેમ ચાલે ? સાથે ફરસાણ જોઈએ. ઇન્દ્રિયજન્ય સુખ તે જોતો રહે અને વણસી જાય તેવા છે. જાણે કે વીજળીનો ચમકારો ઘડીક સુખનો ભાસ થયો ન થયો ને છૂમંતર થઈ જાય. વળી વિષયના ભોગ પછી ભેટમાં રોગ મળે. વૃદ્ધાવસ્થાનાં દુઃખ મળે. પૌદ્ગલિક પદાર્થોનું લક્ષણ વાદળા જેવું છે, સખત પવન આવે તો માઈલો સુધી ચાલ્યું
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org