________________
શક્યા નથી. કેવળ આત્મજ્ઞાન વડે સર્વ પરભાવથી મુક્ત થઈ ગયા.
પૌદ્ગલિક પદાર્થોમાં પોતાનામાં જ સુખનો ભાવ નથી તો તને કેવી રીતે સુખ આપે ! ઉનાળાની ગરમીમાં તને ઠંડા સ્પર્શનું સુખ લાગે પણ જો તે સુખ હોય તો શિયાળામાં તારા મનોભાવ બદલાય નહિ. તને મીઠાઈ ઘણી ગમે છે પરંતુ કોઈ દર્દ થતાં તું કોને બચાવવા તેનો ત્યાગ કરે છે ! જેને માટે ત્યાગ કરે છે તે બચે છે ખરું ? સુખ મનના અભિપ્રાયને આભારી છે. અને મન તો તરંગી છે. વૃત્તિઓ પલટાતી રહે છે. એટલે જે પદાર્થો સુખરૂપ માન્યા હતા તેને વળી પાછા દુઃખરૂપ જણાવે છે. આવા ક્ષણિક સુખનો ધુણાવ્યો તું ધૂણે છે. પરંતુ તારા આત્મિક ગુણો સિવાય તને ક્યાંયે સુખ મળવાનું નથી. સુખ આત્માના સમત્વમાં રહેલું છે તે બહાર શોધવાથી કેમ મળે ? ભલે તેં દેવલોકમાં લાંબું આયુષ્ય ભોગવ્યું પણ પાછો તું લૂખો ને લૂખો.
બજારમાં વેચાતી વસ્તુઓની ફૅશન રોજ બદલાય. તું આજે જે ચીજ લાવે તે કાલે જૂની થઈ જાય અને તેમાં તેં માનેલું સુખ પણ કલ્પના બની જાય. એવા અલ્પકાલીન સુખનો ભાસ ઊભો કરતા પદાર્થોમાંથી તને સંતોષ કેવી રીતે મળે ? સંતોષ એ તો આત્મિક ગુણ છે. મન તૃષ્ણાથી વ્યાકુળ છે. ઇચ્છાઓનું અક્ષયપાત્ર છે, તેને પૂર્ણપણે કેવી રીતે ભરી શકાય ? જે શક્ય નથી તેને માટે તું અનંતીવાર પ્રયત્ન કર્યા જ કરે છે. હવે એક વાર નિજસ્વભાવના સુખ પ્રત્યે દૃષ્ટિ કરી જો. તો તને સાચા સુખની પ્રાપ્તિ થશે.
પ્રાણીમાત્ર ઇચ્છાવાળું છે. પરંતુ તેને ખબર નથી કે આ ઇચ્છા શું છે ? દરેક પ્રાણીની ઇચ્છા અનંત હોય છે. તેમાં એક ઇચ્છા મુખ્ય છે અને તે સુખ મેળવવાની. પૌદ્ગલિક કોઈ પણ સુખ મર્યાદિત હોય છે, અને અસ્થાયી હોય છે. મોટા ભાગના જીવોને આવો ખ્યાલ હોતો નથી. તેને તે ભ્રમ સેવે છે. તારા પુણ્યયોગે તને કંઈક બોધ મળ્યો છે માટે એક વાર અંતરને પૂછતા શીખી લે કે સુખ ક્યાં છે ? હું જેને સુખ માનું છું તે સુખ છે કે ઉચાટ
૪૮
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org