________________
શુદ્ધભાવમાં રહેવા પ્રયત્ન કરે છે. તેથી તેઓ દુઃખમાં પણ પ્રસન્ન રહે છે. કારણ કે તેમનું અંતર તૃપ્ત છે. દુઃખ મૂકી સુખ પસંદ કરવું તે વિવેક નથી. મુક્તિને પસંદ કરવી તે માનવ ચેતનાનો વિવેક છે. સાંસારિક સુખ ક્ષણિક અને માયાવી છે. તેમાં આત્માનું હિત નથી. માટે આત્મજ્ઞાન વડે સાચા સુખના અભિલાષી થવું.
સુખ પછી દુઃખ આવતું હોય તો તે સુખને સારું કેવી રીતે માનવું ? અને પછી જો દુઃખ પછી સુખ આવતું હોય તો તે દુઃખને દુ:ખ કેવી રીતે માનશો ? આવી વિચિત્ર પરિસ્થિતિ શુભાશુભ કર્મને કારણે છે. સંયમ, તપ, અનુષ્ઠાન વગેરે મૂલ્યવાન સાધનોના બદલામાં તુચ્છ એવા વિષયો માંગવા. ચક્રવર્તી કે દેવેન્દ્રની પદવીનું નિયાણું કરવું તેને મહાદોષ કહ્યો છે.
શલ્ય એટલે દોષ, આત્મભાન ભુલાવતો દોષ. સંયમના બદલામાં ભાન ભૂલીને સંભૂતિમુનિએ નિયાણું કર્યું. ચક્રવર્તી પદ પામ્યા પણ પછી બલિના બકરાની જેમ નરકમાં ધકેલાઈ ગયા. વિષયભોગ એ આત્મસ્વરૂપને બાધા કરતું, ભુલાવી દેતું, હલકી વૃત્તિમાં લઈ જતું નિમિત્ત હોવાથી તેનું પરિણામ ભયંકર દુઃખદાયક છે. વાસ્તવમાં સંયમનું સુખ તો શિવપદ છે, તે અલ્પમતિ જાણતો નથી તે લોભામણા સુખમાં લોભાઈને તેનું અવમૂલ્યન કરી અંતે દુઃખ પામે
પૌલિક સુખ રસ રસિયા નર, દેવનિધિસુખ દેખે; પુણ્યહિન થયા દુર્ગતિ પામે; તે લેખાં નવિ લેખે. ૩૪
સદ્ગુરુ ગમે તે વાત સમજાવે. પણ પૌદ્ગલિક સુખના રંગે રંગાયેલો રસિક જીવ તો પરલોકના દેવાદિ સુખની અભિલાષા રાખે છે. આ ભવમાં જો તેને તેવાં સુખો મળતાં હોય તો તે ઘણું કષ્ટ વેઠવા તૈયાર છે. તે વિચારે છે કે કષ્ટ ભોગવીને દેવલોકના સુખ મળે તો ભયો ભયો. - દેવલોકના સુખનાં પરિણામની તને ભલે ખબર ના હોય પણ જ્ઞાનીના વચન પર વિશ્વાસ મૂકીને સાંભળજે. જ્ઞાનના દોરે પરોવાયા
૪૬
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org