________________
તેનો સદ્ઉપયોગ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે કરી તે દિશા પકડવાની છે. પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ ન માનવું પણ શુદ્ધ ધર્મના લક્ષ્યની દૃઢતા માટે જે જે બાહ્ય કે અંતરંગ સાધન કે સાધનાની આવશ્યક્તા હોય તેનો સહયોગ આવા ઉત્તમ પુણ્યના નિમિત્તે મળે છે. માટે પુણ્યની કેવળ ઉપેક્ષા ન કરવી અને પુદ્ગલાનંદી થઈ ત્યાં અટકી ન જવું. પરંતુ ઉત્તમપુણ્યના યોગને જાણી ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થવું.
૩૩
સંજમકેરાં ફળ શિવસંપત, અલ્પમતિ નવિ જાણે; વિણ જાણે નિયાણાં કરીને ગજ તજ રાસભ આણે. સંયમ અર્થાત્ આત્મસ્વરૂપમાં પ્રવેશ છે. તેનું ફળ શિવપદ છે. પણ અલ્પમતિ તે સુખને જાણતો નથી. એટલે સંયમના બદલામાં સંસાર ઊભો કરે છે.
નિયાણું એટલે ધર્મઅનુષ્ઠાનના બદલામાં સંસારનું સુખ ઇચ્છવું. અજ્ઞાને કરીને કોઈ મૂર્ખ હાથીના બદલામાં ગર્દભને માંગે તેવી આ નિયાણાની મૂર્ખાઈ છે. પૌદ્ગલિક સુખના રસિકને ભૌતિના સુખનાં સાધનોથી આગળ કોઈ મહિમાવંત વસ્તુ છે તેનો ખ્યાલ નથી. મોક્ષનું સુખ તેને માટે પરોક્ષ છે, અને પાંચે ઇન્દ્રિયોનું સુખ તેને માટે પ્રત્યક્ષ છે. આવો ભ્રમ સેવીને તે પુરુષ માનવ તરીકે ચક્રવર્તીના સુખ અને દેવલોકમાં દેવના સુખને જ ઇચ્છે છે. જે સુખની પાછળ દુ:ખ હોય. જે સુખ ભોગવતાં આકુળતા હોય તેને ભલા સુખ કેવી રીતે માનવું !
સુખ પુણ્યઆશ્રિત છે. પુણ્ય જીવના શુભભાવને આશ્રિત છે, જ્ઞાની સિવાય એવી ઉત્તમભાવનાની પરિણતિ સંસારી જીવને ટકતી નથી, તેથી પુણ્ય ભોગવતા તે સમયે પાછું દુઃખનું કારણ ઉત્પન્ન થાય છે. પરંતુ અજ્ઞાની જીવ તે જાણતો નથી. વળી દેવલોકનાં સુખ તો બિલના બકરા જેવાં છે. બકરાને ખવરાવીને હૃષ્ટપુષ્ટ બનાવે પછી તેનો બિલ આપે. તેમ દેવલોકના સુખ જીવને સુખથી હૃષ્ટપુષ્ટ કરે પરંતુ આયુષ્યકર્મ પૂરું થતાં ધરતી પર તિર્યંચ જેવા જન્મ અપાવે. આથી જ્ઞાની શુભ અને અશુભ બંને ભાવોમાં મધ્યસ્થભાવ રાખીને
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org