________________
તેમાં આસારા ગુણોના આજનતાં પુરાકમાં
બીજા પુણ્યનો પ્રકાર છે પુણ્યાનુબંધી પુણ્ય. આ પુણ્યનું ઉપાર્જન સમત્વ પ્રાપ્ત જીવને હોય છે. શુદ્ધ ભાવનાથી, નિસ્પૃહતાથી, ફળાકાંક્ષા રહિત કરેલા ધાર્મિક અનુષ્ઠાનોનું એ પરિણામ છે. વળી સમક્તિયુક્ત આત્માની ભાવના તત્ત્વદર્શી હોય છે. તે માને છે પુણ્યયોગે મળેલી સાંસારિક સંપત્તિ, સ્ત્રી, પુત્ર, ઘર, ધન વગેરે સ્વયં પુણ્યકર્મનો યોગ છે. તેમાં મારું કંઈ નથી. આમ તે જીવ પુણ્યથી મળેલી સામગ્રીને સુખ ન માનતાં પુણ્યકર્મ માને છે. અને ધર્મ આત્મ સ્વરૂપના ગુણોના આવિર્ભાવને માને છે. પુણ્યયોગ હોવા છતાં તેમાં આસક્તિ ન ઉપજાવે તે પુણ્યાનુબંધી પુણ્યનું બળ છે. કેમકે સમક્તિને કારણે તે જીવનમાં તત્ત્વદૃષ્ટિ પરિણામ પામી છે. આથી આ પુણ્યને ઉપાદેય માન્યું છે.
અર્થાત્ પુણ્ય કેવળ ઉપેક્ષા કરવા યોગ્ય નથી પરંતુ તેના ભેદને સમજીને હેય ઉપાદેયનો વિવેક આદરવાનો છે. યદ્યપિ પુણ્ય એ કર્મ છે તેથી આશ્રવ છે. શુભ કે અશુભ આશ્રવ એ બંધનું કારણ છે. પરંતુ સંસારી જીવો અશુભના ભાવમાં નિરંતર રચેલા રહે તો તેઓ ધર્મમાર્ગને ક્યારે પણ જાણે નહિ. નરભવ પામીને તે અશુભ કે અસત્ કાર્યોનો ત્યાગ કરે, શુભ કે સત્કાર્યોને આચરે ત્યારે અશુભ ભાવ છૂટી, જીવના પરિણામ શુભપણે પરિણમે છે. તે ધર્મમાર્ગમાં પ્રવેશ કરવાનું એક સાધન બને છે. કેવળ અશુભભાવવાળો પાપવૃત્તિ કે પ્રવૃત્તિવાળો જીવ આત્મા, ધર્મ, ગુણસંપન્નતાને જાણતો નથી, માનતો નથી, સ્વીકારતો નથી. બાહ્ય ક્રિયાનાં સાધન દ્વારા પણ જીવને ધર્મ કે કર્મ, મર્મ સમજવાનો અવસર મળે છે, ત્યારે પ્રથમ પાપવૃત્તિ અને પ્રવૃત્તિ છૂટે છે. તે જીવ દાનાદિ ધર્મ, તપ જપ આદિ બાહ્યક્રિયા કરે છે. તેના મૂળમાં શુદ્ધધર્મની પ્રાપ્તિની ભાવના છે. તેથી તે ઉત્તમ પુણ્યનો અધિકારી બને છે.
આવું પુણ્ય એક ભોમિયાનું કાર્ય કરે છે. ભોમિયો જેમ માર્ગ બતાવીને પાછો વળે છે તેમ ઉત્તમ પુણ્ય જીવને માર્ગે ચઢાવવામાં સહાય કરે છે. એવા પુણ્ય વગર ઉત્તમ સંસ્કારયુક્ત નરભવની પ્રાપ્તિ પણ સંભવ નથી. પુણ્યથી ડરવાનું નથી અને અટકવાનું નથી. પરંતુ
४४
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org