________________
શક્તો નથી.
ધર્મ પ્રત્યે રુચિ થવા છતાં સાચા ધર્મનો, શુદ્ધધર્મનો મર્મ તેની સમજમાં આવ્યો નહિ. તેણે કથંચિત ઉપદેશ પણ એવો સાંભળ્યો કે જેમાં સંસારના સુખ સુધી તેનો વિચાર પહોંચે. પુણ્ય અને શુદ્ધ ધર્મ ભિન્ન છે તે તેને સમજાયું નહિ. પુણ્યથી સ્વર્ગ મળશે તેમ તે માનતો થયો. મોક્ષસ્વરૂપ પોતાનું સ્વાભાવિક સ્વરૂપ તેની સમજમાં ન આવ્યું. તેને તેવા બોધનો યોગ ન મળ્યો.
- જ્ઞાનીજનોએ પુણ્યના પ્રકારો બતાવતાં કહ્યું કે ભાઈ પુણ્યના બે વિભાગ છે. હેય અને ઉપાદેય દૃષ્ટિ તેમાં યોજવાની છે. એક છે પાપાનુબંધી પુણ્ય, બીજું છે પુણ્યાનુબંધી પુણ્ય.
વર્તમાનમાં મળતા સાંસારિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સગવડ પૂર્વ પુણ્યનું પરિણામ હોવા છતાં તે પુણ્યહીન પુણ્ય છે. કારણ કે જીવને પુણ્યનો ભોગ કરાવી શુદ્ધ ધર્મ ચુકાવી પાપના બંધનમાં લઈ જાય છે. કોઈ પણ પૌગલિક પદાર્થોના ભોગની આસક્તિ આત્મસ્વભાવથી વિપક્ષવાળી હોવાથી તે લોકસ્થિતિના કર્મ – સ્વભાવના નિયમથી બંધનકર્તા છે. જે પુણ્યનું પરિણામ પાપજનિત હોય તે પુણ્ય હોવા છતાં મૂળમાં પાપરૂપ છે. જેમ લીમડાનું મૂળ કડવું છે એટલે તેનાં થડ, પાંદડાં કે શાખા સર્વ કડવું હોય છે. ગોળનો ગમે ત્યાંથી ટુકડો કાપો તે ગળ્યો જ હોય છે. તેમ જેનું પરિણામ દુઃખજનિત હોય તો તેના મૂળમાં પુણ્યયોગથી મળતું સુખ એ ભાસ હોવાથી દુઃખજનિત છે. - પૂર્વે કોઈ ધર્મક્રિયા કે અનુષ્ઠાનના સેવનમાં જીવે સાંસારિક સુખની આસક્તિએ પૌદ્ગલિક સુખની અભિલાષા રાખી હતી. તે અનુષ્ઠાનનું ફળ એ પ્રકારના સુખનું ઇચ્છવું હતું. તેણે માન્યતા સેવી હતી કે આ યાત્રાનું ફળ મને સારી નોકરી મળો. દાનના ફળરૂપે મને વિશેષ ધન મળો. એ સમયે શુભ ભાવ પણ હતો. શુભ ભાવના પરિણામે પુણ્યકર્મનો બંધ થયો અને ઈચ્છા પીલિક સુખની હતી તેથી તે પુણ્યકર્મે તેવા યોગ આપ્યા. આવું પુણ્ય પાપાનુબંધી પુણ્ય હોવાથી તેને ત્યાજ્ય ગણ્યું છે.
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org