________________
તેમ તે પુલજનિત સાધનો બદલ્યાં અને વિવિધ વિષયોમાં રમ્યો. જન્મ્યો ત્યારે પારણામાં સૂતો, કંઈક બેસતો થયો ત્યારે રમકડાંથી રમ્યો, શિશુવયમાં આવ્યો ઢીંગલા-ઢીંગલી રમ્યો, કુમાર અવસ્થામાં આવ્યો ગલ્લીદંડા કે બોલબેટ રમ્યો, યુવાની આવી ત્યારે તું સ્વયં દીવાનીમાં આવ્યો. તને રમવાના સાધનોમાં સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ મળ્યાં. સમય અવિરતગતિએ પસાર થતો રહ્યો. પ્રૌઢાવસ્થા આવી, વ્યાપાર-ધંધો યશકીર્તિ સમારંભો અને અનેક પ્રકારના વ્યવસાયમાં પડ્યો. તને એ જાણવાનો અવકાશ ક્યાં હતો કે આ નરભવ શું અને તેમાં ખોવાનું શું અને ગુમાવવાનું શું ? એ સર્વ પ્રકાર અને પ્રસંગમાં તને એમ લાગે છે મારું જીવન તો સાર્થક થઈ રહ્યું છે. હે મહાનુભવ ! આ માનવજીવન ઘર-બાર, સ્વજન, યશકીર્તિ જેટલું સીમિત નથી. તે તો પુણ્યયોગનાં સ્ટેશનો છે. માનવજીવનની સાર્થકતાની યાત્રા તો તેનાથી ઘણી દૂર છે. તે યાત્રા માટે વિચારદશા બદલવી પડશે. એ સાધનોમાં તારે જીવનનો વ્યવહાર શુદ્ધ કરવો પડશે, માયા–પ્રપંચને ઘટાડવાં પડશે. માન-મોટાઈ મૂકવી પડશે, બાહ્ય પથારો સંકેલવો પડશે, પ્રારંભમાં તને કઠણ લાગશે, પણ આ ધર્મયાત્રા ખૂબ જ રસપ્રદ છે, તેનો પ્રારંભ કોઈ સદ્દગુરુના યોગે કરી જોજે.
કોઈક નર ઇમ વચન સુણીને, ધર્મ થકી ચિત્ત લાવે; પણ જે પુદ્ગલઆનંદી તસ, સ્વર્ગતણાં સુખ ભાવે. ૩૨
યોગાનુયોગ કોઈને સદગુરુનો યોગ થતાં તેમના વચનનું શ્રવણ કરીને ધર્મમાર્ગની રુચિ થાય છે. પ્રારંભની ભૂમિકાને યોગ્ય હજી બાળચેષ્ટા હોવાથી તે જીવને પુણ્યની સામગ્રીમાં ધર્મ થવાનો ભાસ પેદા થાય છે. તે માને છે કે હું જે આ બાહ્ય તપ, જપ ક્રિયા વગેરે કરું છું તેનાથી મને આલોકમાં સુખ અને પરલોકમાં સુખ મળશે. કારણ કે દીર્ઘકાળથી તેણે તેવા જ સુખની બુદ્ધિનું સેવન કર્યું છે અને તેના સાંભળવામાં આવ્યું છે. આ કાળમાં મોક્ષ નથી માટે બાહ્ય તપ ક્રિયા આદિથી પુણ્ય કરો તો સ્વર્ગનાં સુખ મળશે. પરપદાર્થથી સુખ મળે છે તેવી માન્યતાવાળા જીવને આ વાત સરળતાથી રુચિ જાય છે. તેથી તે આત્મિક સુખનું ઈષ્ટ કાર્ય કરી
૪૨
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org