________________
થાય તે પણ સમજ્યા. પરંતુ આ દેહ ધારણ કરીને જો તું વિષયાસક્ત બન્યો કે અસત્યાચરણને સેવ્યા તો પરિણામે દુઃખ પામવાનાં જ કાર્યો તેં કર્યા, એમ માનજે. નરભવ મળવા છતાં તે વૃથા ગુમાવ્યો.
જેમ બાજી હાથમાંથી સરી પડે પછી તે પસ્તાય તો પણ વહી ગયેલા સરિતા નીર પાછાં ઘડામાં ભરી શકાતા નથી તેમ ભાઈ, ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી. તું કાળની કરામત જાણતો નથી. આંખપલક જેવામાં સરતો સમય રાજામહારાજા કે ચક્રવર્તી પણ પાછા લાવી શક્યા નથી. ગયો તે ગયો, આયુષ્યકર્મને ક્ષણ કરતો ગયો. એ કાળની ફાળ આયુષ્યને ક્યારે ઝપાટે ચઢાવી દે તે કોઈ કાળા માથાનો માનવી જાણી શક્યો નથી. તો ભાઈ, તારું તો શું ગજું? ક્યાં કાળની અનંતતા અને કયાં તારું સીમિત આયુષ્ય ! જ્ઞાનીઓ કહે છે કે કેવો ઉત્તમ છે આ નરભવ. તે તે ક્ષુદ્રતામાં ગુમાવ્યો.
પચાસ, સાઠ, સીત્તેર અરે સો વર્ષ તો ક્યાંય પૂરાં થઈ ગયાં. સવાર પડી ન પડી ત્યાં તો તું રાત્રિને જુએ છે. સંસારમાં તારો સમય લૂંટાય છે. તેમાં જો શુભયોગ હોય તો તું એમ માને છે કે ઓહો ! સમય તો ક્યાંય પસાર થઈ ગયો !
પણ ભાઈ ! તું કબીરની વાણીનું શ્રવણ કર. કંઈક વિચાર કે બાળપણ ખેલકૂદમાં ગુમાવ્યું, યુવાની વિષયભોગમાં ગાળી. પ્રૌઢાવસ્થામાં વ્યાપારધંધામાં મસ્ત રહ્યો. બુઢાપામાં ભૂતકાળને વાગોળતો રહ્યો. એસી-સો વર્ષ તો આંખની પલકમાં પૂરાં થયાં પણ તે શું મેળવ્યું ? ચિરવિદાય વેળા તારી સાથે શું આવશે ? કોઈ સવિચારે કરી તું પસ્તાય તો પણ હવે ઘણું મોડું છે.
જેમ પેલું સૂઆ નામનું પક્ષી સિમલ નામના પદાર્થની લાલચમાં તે સ્થાનને છોડતું નથી. પરિણામે પારધિની જાળમાં પકડાઈને જીવનભર ગુલામી વેઠે છે, પછી પસ્તાય તો પણ કોઈ ઉપાય તેના હાથમાં નથી. જેમ વહી ગયેલું પાણી પાછું વાળી શકાતું નથી, તેમ વહી ગયેલો અમૂલ્ય સમય પાછો લાવી શકાતો નથી. પસ્તાવાથી પણ કશું મળે તેમ નથી. તારી અવસ્થા જેમ જેમ બદલાઈ તેમ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org