SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પાંભરી પછીના પરમાણુઓ વી રીતે જ ફર્યા કરે છે. સ્થંભ ઉપર ત્રાજવું છે, તેમાં ઊભા રહીને રાધાપૂતળીનો પડછાયો જોઈને ડાબી આંખ વીંધવી જેમ દુર્લભ છે. તેમ માનવભવ પ્રાપ્ત કરવો દુર્લભ છે. ૮. કાચબો : પૂર્ણિમાની રાત્રે તળાવમાં કાચબાએ ચંદ્રનો પ્રકાશ જોયો. તે પ્રકાશ જોવા તે પોતાના બચ્ચાને બોલાવવા ગયો. પાછો ફર્યો ત્યારે ત્યાં પ્રકાશની જગાએ પવનથી સેવાળ આવી ગઈ હતી તેથી પુનઃ પ્રકાશ જોઈ ન શક્યો. તેમ ભૌતિકતામાં માનવજન્મ ગુમાવ્યા પછી પુનઃ માનવજન્મ મળતો નથી. ૯. યુગ ઃ અસંખ્ય યોજનાના વિસ્તારવાળો સ્વયંભૂરમણ સમુદ્ર છે. કોઈ દેવ એ સમુદ્રના કિનારે ગાડાની ધૂંસરી રાખે અને બીજે છેડે ખીલી રાખે તો ધૂંસરીમાં ખીલી ક્યારે પેસે ! તેમ પુણ્યહીન માનવ ગુમાવેલો જન્મ ક્યારે પ્રાપ્ત કરે ! ૧૦. પરમાણુ : એક દેવે મણિના સ્તંભનું બારીક ચૂર્ણ કર્યું તેને એક નળીમાં ભરી પછી મેરુપર્વત ઉપર જઈ, તે નળીને ફૂંક મારી ચૂર્ણ ઉડાડી દીધું, મણિના પરમાણુઓ વિખરાઈ ગયા. હવે પાછા ભેગા કરી પુનઃ બનાવવો હોય તો કેવી રીતે બને ! તે પ્રમાણે ચૌદરાજલોકમાં ભમતા જીવને પુનઃ માનવજન્મ કેવી રીતે મળે ! આ સર્વ વસ્તુઓ દેવ પોતાની લબ્ધિ વડે કદાચ કરી શકે, પણ એક વાર વ્યર્થ ગુમાવેલો માનવજન્મ પુનઃ પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રકારોએ જીવને સમજાવવા જુદાં જુદાં દાંતને રજૂ કર્યા છે. કોઈ ભવ્યાત્મા તેનો સાર ગ્રહણ કરીને માનવજન્મ સાર્થક કરી શકે. હારત વૃથા અનોપમ નરભવ, ખેલ વિષય રસ જૂઓ; પીછે પછતાવત મનમાંહિ, જિમ સિમલ કા સૂઆ. ૩૧ નરભવ પામીને તે ૨૫-૫૦ વર્ષ સુધી શું શું કર્યું? શું શું મેળવ્યું ? અનુપમ એવો માનવદેહ ધરીને તે શું ધ્યેય નક્કી કર્યું ? તેને માટે તે શું પ્રયત્નો કર્યા. કે પછી બાંધી મૂઠી રાખીને આવેલા તે ખાલી હાથે પાછા જવાના ધંધા કર્યા. અરે ખાલી હાથે વિદાય ૪૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy