SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ માંગણી કરી. ચક્રવર્તીએ કહ્યું કે એક વાર ભારતનાં બધાં નગરોના ઘરોમાં ભોજન કરીને આવ પછી મારા રસોડે તારો વારો આવશે. એ ક્યારે આવે ! તેમ એક વાર મળેલો માનવ જન્મ ફરી ક્યારે મળે ! દુર્લભ. ૨. પાશક (જુગારમાં હરાવવું) : ચાણક્ય તમામ શ્રીમંતોને જુગારમાં હરાવી રાજનો ભંડાર ભરી દીધો. એ શ્રીમંતો એક વાર બધું હાર્યા તે ધન ફરી ક્યારે મળે ! તેમ, માનવજન્મ હાર્યા પછી ફરી ક્યારે મળે ! ૩. ધાન્યના ઢગલામાંથી સરસવ કાઢવા : ધાન્યના એક વ્યાપારીએ મોટા ધાન્યના ઢગલામાં ૨૫/૫૦ દાણા સરસવના ભેળવી દીધા પછી એક ડોશીને તે દાણા છૂટા કરવા બેસાડી. તે છૂટા ક્યારે કરી શકે ! તેમ પુનઃ માનવજન્મ ક્યારે મળે ? ૪. શરતની જીત (જુગારની રમત) : એક રાજાએ પોતાના પુત્રને કહ્યું કે રાજસભામાં ૧૦૮ સ્તંભ છે. તે દરેકને ૧૦૮ ખૂણા છે. જુગાર રમતા એક એક ખૂણાને જીતી બધા સ્તંભ પૂરા કરવાના, તેમાં જ્યારે હારે ત્યારે ફરીથી શરૂ કરવાનું ત્યાર પછી તારો રાજ્યાભિષેક થાય. તેમ ક્યારે બને ! તેમ સુકૃત વિનાનો ભવ હારી ગયા પછી પુનઃ ક્યારે મળે ? ૫. મણિ : એક ઝવેરીના પુત્રે પિતાની ગેરહાજરીમાં બધાં જ રત્નો જુદા જુદા વિદેશી વ્યાપારીને વેચી નાંખ્યા, પિતાએ એ રત્નો પાછાં મેળવવા કહ્યું, તે કેવી રીતે મેળવે ! તેમ એક માનવજન્મ ગયો પછી પુનઃ ક્યારે મળે ? ૬. ચંદ્રપાનનું સ્વપ્ન : મૂળરાજ અને બાવાના શિષ્યને બંનેને ચંદ્રપાનનું સ્વપ્ન આવ્યું. સ્વપ્નના પરિણામે મૂળરાજને રાજ્યની પ્રાપ્તિ થઈ. પણ શિષ્યને કંઈ પ્રાપ્તિ ન થઈ. કારણ કે સ્વપ્ન પછી જે વિધિ હતી તે કરી નહિ. તેમ માનવજન્મ મળ્યા પછી ધર્મારાધના ન કરે તો ભવનું ફળ ગુમાઈ જાય. ૭. ચક્ર : રાધાવેધ કરવાની પૂતળીની નીચે ચાર ચક્રો સતત પુદગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ 3c Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy