________________
પુનઃ પુનઃ ડાળ પર બેસવા લાગ્યો. બ્રાહ્મણ પુનઃ પુનઃ રત્ન ફેંકી તેને ઉડાડવા લાગ્યો. એમ કરતાં ઘણા રત્નો ફેંકાઈ ગયાં. બચેલાં બે-ચાર રત્નો લઈને તે પોતાને ગામ પહોંચ્યો. ત્યાં તેને કોઈ ઝવેરી મિત્ર મળ્યો. તેની સાથે તેણે વાત કરતાં પેલાં રત્નો બતાવ્યાં. ઝવેરી રત્નોનો પારખુ હતો. તેણે બ્રાહ્મણને કહ્યું કે ભાઈ ! તેં કાગડાને ઉડાડવા માટે મૂલ્યવાન રત્નો ગુમાવ્યાં છે. એ સાંભળીને બ્રાહ્મણ ઘણું પસ્તાયો પણ હવે તે રત્નો પુનઃ પ્રાપ્ત થાય તેમ ન હતાં.
આ દૃષ્ટાંતથી ઝવેરી જેવા જ્ઞાની કહે છે કે, ભાઈ ! આ ભૌતિક વિષયોના સુખ પાછળ તેં આવા કેટલાયે જન્મો ગુમાવ્યા છે. પેલા બ્રાહ્મણને રત્નો ગુમાવ્યાનો પસ્તાવો થયો, તેમ જીવને સમજાય છે કે પૂર્વે આ જીવને આવા દુર્લભ માનવ જન્મ મળ્યા હતા તે ગુમાવ્યા છે.
જન્મો અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા
ન જાણ્યો ધર્મ કે ન તમને સંભાય.” બાજી હાથથી સરી ગયા પછી આવી સમજણ પણ વ્યર્થ છે. કારણ કે જ્યાં જ્યાં જીવે જન્મ ધારણ કર્યો ત્યાં ત્યાં દૈહિક ભાવને ધારણ કર્યો છે. અને તે દેહાભિમાને વર્યો છે. વળી ક્યારે એવા પદાર્થોનો ત્યાગ કર્યો હોય તોપણ તેણે તે બોધરૂપે કર્યો ન હોવાથી દેહભાવની સંજ્ઞાઓ અને સંસ્કારોએ તેને પુનઃ પુનઃ વિષયો પ્રત્યે દોર્યો છે. આમ તેણે નરભવ પામ્યા છતાં કંઈ સાર્થક કર્યું નથી.
દશ દષ્ટાંતે દોહિલો નરભવ, જિનવર આગમ ભાખ્યો, પણ તિણકે કિમ ખબર પડે જિણ કનક બીજ રસ ચાખ્યો. ૩૦
માનવજન્મ મળ્યાના રહસ્યનું જેને જ્ઞાન કે ભાન નથી તેને શું ખબર પડે કે અનેક પ્રકારની પુણ્યરાશિ એકઠી થાય ત્યારે માનવજન્મ મળે છે. દસ દાંતે પણ દુર્લભ છે એમ આગમ કથન છે. એક એક દષ્ટાંતથી સમજાશે કે માનવજન્મ મેળવવામાં જીવને કેટલો પરિશ્રમ કરવો પડ્યો છે.
૧. બ્રાહ્મણનું ભોજન : એક બ્રાહ્મણે ચક્રવર્તી પાસે ભોજનની
૩૮
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org