SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં દેહાતીત દશાને પામીને આત્મા સંસારથી મુક્ત થઈ જાય છે. જો સિદ્ધિદશાનું સાધ્ય સિદ્ધ ન થાય તો માનવજન્મ મળવા છતાં તે મૂલ્યહીન, પુણ્યહીન મનાય છે. ઘણા જન્મમાં એક જન્મનો વધારો થવા સિવાય જીવને કંઈ પ્રાપ્તવ્ય થતું નથી. ચક્રવર્તી છ ખંડની પૃથ્વી જીતવા સાંઈઠ હજાર વર્ષ રણમેદાને સુભટ થઈને ઝઝૂમ્યા. પરંતુ કાળની જાળને પાળ કરી બાંધી ન શક્યા. છ ખંડ પૃથ્વીના શિરતાજ છતાં તેનો એક કાણિયો સાથે લઈ જઈ ન શક્યા. પરંતુ દેહ પૃથ્વી પર મૂકીને ચાલી નીકળ્યા. માન-મરતબા સાથે નીકળેલી નનામી પણ અંતે તો એક રાંક માનવની જેમ અગ્નિસંસ્કારને જ પામી. એકઠા કરેલાં ઝવેરાત, રત્ન, મણિ વગેરે તેને માટે કાંકરા સમાન નીવડ્યાં કેમકે તે સર્વે તેને કાળથી બિચાવી ન શક્યાં. કદાચ શાતાના યોગમાં તને દેહનો નેહ પકડી રાખતો હોય તો સમજજે કે આ તો સોનાનું પિંજર છે. ભલા ! પક્ષીને તારા જેવું બુદ્ધિબળ નથી છતાં તે પિંજરામાં પુરાવું પસંદ કરતું નથી. ક્યારે છૂટું તેવી ઝંખના રાખે છે. બુદ્ધિમાન એવો માનવ મજાથી પિંજરમાં પુરાવાનું પસંદ કરે છે. કાયાની માયા મુકાતી નથી. વળી એ માયાએ તો એને બીજા પણ દુષણોથી ઘેરી લીધો. માન, લોભ, કામ, ઇત્યાદિ પ્રકૃતિથી ઘેરાયેલો એ વિચારી શકતો જ નથી કે આ દેહમાં કોઈ અમૂલ્ય તત્ત્વ રહેલું છે. એના મૂલ્ય તારું – કાયાનું મૂલ્ય છે. આત્મા સહિત દેહને સૌ “આવો આવો' કહીને આવકાર આપશે. જ્યાં આત્માએ પ્રયાણ કર્યું કે દેહને સૌ “કાઢો કાઢો કરશે. દેહમાં સુખ આપવાનું સામર્થ્ય નથી. પરંતુ સ્થૂલ દેષ્ટિમાં દેહમાં સુખનો ભ્રમ પેદા થયો છે. એ ભ્રમમાં અજ્ઞાને જીવને તે સાચું છે એમ માન્યતા દેઢ કરી છે. દેહ જો કેવળ સુખનું સાધન હોય તો જરા અને મરણનું દુઃખ શા માટે આપે ? રોગનું દુઃખ શા માટે આપે ? આધિ, વ્યાધિ કે ઉપાધિનું દુઃખ શા માટે આપે ? દેહમાં કે દેહથી સુખ હોય તો દુઃખને શા માટે ઊભું કરે ? તેથી સમજવું કે સુખ-દુઃખનું કારણ દેહ નથી. તેના દ્વારા સુખ-દુઃખનો ભાસ થાય ૩૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy