SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ શરણ નથી. કોઈ બચાવતું નથી. અત્યંત પરાધીન દશા હોવાથી અન્યત્ર ભાગી શકતા નથી. વાચકને થશે કે આવું દુઃખ હોય ! ભાઈ, તું માનવની ભૂમિમાં પણ ક્રૂર પિરણામવાળા જીવોની ક્રૂરતા જુએ છે, સાંભળે છે તે પણ કેવી ભયાનક હોય છે. અસાધ્ય રોગથી પીડાતો દર્દી કેવાં દુ:ખ ભોગવે છે ! ઝૂંપડપટ્ટી જેવી ગંદી જગામાં રહેનારા અને હલકા પદાર્થો ખાનારા જુએ છે ને ? તો પછી જેણે અમર્યાદ પાપ કર્યા છે તેમને દુ:ખ ભોગવવાનાં સ્થાનો આવા હોય છે. આ વર્ણન જીવને એવો બોધ આપે છે કે પાપકર્મ કરતા પાછા પડવું. અન્યને દુઃખ આપવામાંથી દૂર રહેવું. હિંસાદિ જેવાં કાર્યો કે વ્યાપાર ધંધામાંથી મુક્ત રહેવું. જેથી એ કર્મનું પરિણામ આવી રીતે ભોગવવું પડે નહિ. છે. અતિ દુર્લભ દેવનકું નરભવ, શ્રીજિનદેવ વખાણે; શ્રવણ સુણી તે વચન સુધારસ, ત્રાસ કેમ નવિ આણે. ૨૮ શાસ્ત્રકારોએ, મહર્ષિ ગીતાર્થજનોએ ચાર ઉત્કૃષ્ટ મંગળ દર્શાવ્યા ચત્તારિ પરમંગાણિ, દુલ્લહાણીય જંતુણો માણુ સુત્ત સુઈ સધ્ધા, સંજમમ્મિય વીરિયું. માનવદેહ, સદ્ગુરુનો બોધ, શ્રદ્ધા અને સંયમ. માનવદેહ આકૃતિથી મહાન નથી. તેને મળેલી વિચારશક્તિથી પણ તે દેહ મંગળરૂપ થતો નથી. પણ એ વિચારશક્તિ પરમાર્થ માર્ગે પ્રયોજીને જીવ જ્યારે શિવ થાય છે ત્યારે તે માનવદેહ દેહરૂપે નશ્વર છતાં તેનું નામ અમરતાને પામે છે. તેથી માનવજન્મનું પારમાર્થિક પ્રયોજન પણ પ્રસિદ્ધિ પામે છે. તેથી શ્રી તીર્થંકરોએ પણ માનવજન્મની દુર્લભતા બતાવી, તેને પ્રશંસનીય જણાવ્યો છે. માનવ સિવાયની ત્રણ ગતિના સંજ્ઞી જીવો સમ્યક્ત્વને સ્પર્શી શકે છે, પણ સંસારનું ઉલ્લંઘન કરી સિદ્ધિદશાને સ્પર્શી શકતા નથી. મુક્તિનો સ્પર્શ માનવદેહમાં રહેલો આત્મા જ સાધી શકે છે. દેહમાં પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy