________________
કરે તેમ આ નારકો બિચારા કંઈ લેવા જેવા પદાર્થો ન હોવા છતાં લડી મરે.
પરમાધામીકૃત વેદના : પ્રથમ ત્રણ ભૂમિમાં આ અસૂર દેવોનું આવાગમન હોય છે. આ પરમાધામી દેવો પંદર પ્રકારના છે. તેઓ ક્રૂર સ્વભાવવાળા, પાપરત અને નિર્દય હોય છે. નારકોને દુઃખ આપી સુખ માને છે. પોતાની પાસે બીજા દેવલોકના સુખનાં સાધન હોવા છતાં પૂર્વના અત્યંત અશુભ સંસ્કારવશ આ જીવને પરસ્પર લડાવીને આનંદ માને છે.
આ પરમાધામી અત્યંત દુઃખથી ઉત્પન્ન થતા નારકોનું દુઃખ જાણે ઓછું હોય તેમ વળી તે જીવ પાસે જઈને ચારે તરફથી ઘેરીને “મારો...કાપો' કહીને તેમના શરીરના ટુકડા કરી નાંખે છે. ભાલાં જેવાં શસ્ત્રો વડે તેમનાં શરીર વીંધી નાખે છે. નારકો રમવાનાં રમકડાં હોય તેમ તેમને ઘુમાવે છે. આકાશમાં ઉછાળે, ત્રિશૂળ પર ઝીલીને વીંધી નાખે. તેઓને નિશ્ચષ્ટ કરીને ટુકડે ટુકડા કરે. દડાની જેમ ઉછાળે, હથિયારો વડે મારે.
તેમના શરીરમાંથી લોહી-માંસ જેવા ગંદા પદાર્થો કાઢી તેમને બતાવે, ખવરાવે, ધગધગતો અગ્નિ પેદા કરી તેમાં નાંખે ત્યારે વળી બીજા દેવો પુનઃ તેમના શરીરને શેકે. નરકમાં તલવાર આદિ જેવા પત્રોવાળાં વૃક્ષો હોય છે, આ દેવો પવન વિક્ર્વાને (ઉત્પન્ન કરીને) નારકો પર પત્રો ખેરવે છે, ત્યારે તેમના હાથ-પગ વગેરે કપાઈ જાય છે. તેમાંથી લોહી જેવા પદાર્થો નીકળે છે.
કોઈ દેવ તેમને તેલમાં ભજિયાંની જેમ તળે છે. વળી વૈતરણી નદીમાં લાક્ષારસ જેવો પ્રવાહ વહેતો હોય છે તેમાં ચલાવે છે. તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે. ભયંકર કાંટાવાળાં વૃક્ષો પર ચઢાવે છે.
આવાં દુઃખો પડવા છતાં આ નારકીઓનું આયુષ્ય અનપર્વતનીય હોવાથી પૂર્ણ થયા વગર મરતા નથી. શરીર પારા જેવું હોવાથી ભેગું થઈ જાય છે. “બચાવો બચાવો'ની બૂમો પાડવા છતાંય તેમને
૩૪
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org