________________
ચોથીમાં ઉષ્ણ શીત હોય છે. ઘણામાં ઉષ્ણ થોડામાં શીત હોય. પાંચમીમાં શીત-ઉષ્ણ હોય છે. ઘણામાં શીત થોડામાં ઉષ્ણ હોય. છઠ્ઠીમાં શીત અને સાતમીમાં અત્યંત શીત હોય છે. આ ભૂમિના નારકને હિમગિરિના શિખર પર ઠંડીમાં સુવાડ્યો હોય તોપણ ગરમી લાગે. ભઠ્ઠીમાં રાખો તો ઠંડક લાગે.
સુધાવેદના : નારકોને સુધાવેદનાનાં પરિણામ સમગ્ર વિશ્વના પદાર્થોના ભક્ષણવાળાં હોય પણ તેમને કોઈ પદાર્થો મળે નહિ. અને ધારો કે મળી જાય તો પણ તેમની સુધા શાંત જ ન થાય.
તૃષાવેદના : નારકોને સઘળા સમુદ્રના જળપાનના પરિણામ થાય છતાં તેમના હોઠ અને ગળાં સૂકાયેલાં રહે અને જળપાન મળે જ નહિ.
ખણજ : શસ્ત્રથી શરીરને ખણે તો પણ ખણ શમે જ નહિ. પરાધીનતા : પરમાધામી દેવોને વશ હોય છે. જ્વર = દાહ : તેમનાં શરીર અત્યંત ગરમ હોય છે.
ભય : અન્યોન્ય તથા પરમાધામી દેવો વડે સદા ભયભીત હોય છે. વિર્ભાગજ્ઞાનથી આગામી દુઃખ જોઈ શકે છે તેથી ભય પામે
શોક : અત્યંત દુ:ખને કારણે સદા શોકગ્રસ્ત હોય છે.
અશુભ વૈક્રિયા : તેઓ વૈક્રિય શરીર કે સાધન બનાવવા જાય છતાં અશુભ નામકર્મના ઉદયથી અશુભ બની જાય છે.
પરસ્પરોટીરિત વેદના : પરસ્પર એકબીજાને દુ:ખ આપે.
સામાન્ય રીતે પૂર્વ ભવના વૈરી બે જીવો આવા સ્થાને ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્રથી મળતાં શસ્ત્રો દ્વારા પરસ્પર તાડન, પીડન કરે છે. અથવા એવો વૈરભાવ ઉત્પન્ન થાય કે પરસ્પર યુદ્ધ કરીને દુઃખ સહન કરે. કેમ જાણે ત્યાં કોઈ સુંદર પદાર્થો મેળવવાના હોય તેમ યુદ્ધ કરે. ફક્ત સમ્યગૃષ્ટિ નારકો જ સમતાભાવે સહન કરે અને શેરીના રખડતાં કૂતરાં બીજી શેરીનાં કૂતરાંને કાઢી મૂકવા પ્રયત્ન
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org