SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. અશુભ પરિણામ : બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એમ પ્રાયઃ દસ પ્રકાર છે. તે અત્યંત અશુભ હોય છે. બંધન : શરીરાદિના પગલો અત્યંત અશુભ હોય છે. ગતિ : ઊંટ આદિની જેમ અપ્રશસ્ત હોય છે. સંસ્થાન : નારકોની આકૃતિ જુગુપ્સિત હોય છે. ભેદ : શરીર અને જન્મસ્થાનો ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુચિમય અને અશુભ પરિણામવાળા હોય છે. વર્ણ : દરેક પદાર્થનો વર્ણ–રૂપ ત્રાસ ઊપજાવે તેવો હોય છે. સર્વત્ર અંધકાર હોય છે. ભૂમિનું તળિયું અશુચિ પદાર્થથી ખરડાયેલું હોય છે. - ગંધ : નરકની ભૂમિ લોહીમાંસ જેવા પદાર્થોમાંથી સદા દુર્ગધવાળી હોય છે. રસ : નરકના પદાર્થો નીરસ અને કડવાશવાળા હોય છે. સ્પર્શ : નરકના પદાર્થો અત્યંત ઉષ્ણ કે શીત હોય છે તથા ઝેરી ડંખ જેવા પીડાકારી હોય છે. અગુરુલઘુ : અનેક દુઃખોવાળાં પરિણામ હોય છે. શબ્દ : અંદર અંદર મારો, કાપો બોલતા હોય છે. બચાવો, બચાવો બોલતા હોય છે. ૩. અશુભદેહ : અશુભ નામકર્મના ઉદયથી શરીર હંડક સંસ્થાનવાળું, અવયવો બેડોળ, વૈક્રિય હોવા છતાં મલિન પદાર્થોવાળું હોય છે. અધિક અધિક અશુચિવાળું અને બીભત્સ હોય છે. ૪. અશુભ વેદના: સાતે ભૂમિઓની વેદના અધિક અધિક તીવ્ર હોય છે, તેના ત્રણ પ્રકાર છે. ક્ષેત્રકૃત, પરસ્પરોહીરિત, પરમાધામીકૃત. ૧. ક્ષેત્રકૃત વેદના : પ્રથમ ત્રણ ભૂમિ અત્યંત ઉષ્ણ હોય છે. મોટી ભઠ્ઠીઓની ગરમીમાં તે જીવોને ઠંડક લાગે, તેવી ઉષ્ણતા હોય છે. ૩૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy