________________
૧. અશુભ પરિણામ : બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એમ પ્રાયઃ દસ પ્રકાર છે. તે અત્યંત અશુભ હોય છે.
બંધન : શરીરાદિના પગલો અત્યંત અશુભ હોય છે. ગતિ : ઊંટ આદિની જેમ અપ્રશસ્ત હોય છે. સંસ્થાન : નારકોની આકૃતિ જુગુપ્સિત હોય છે.
ભેદ : શરીર અને જન્મસ્થાનો ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુચિમય અને અશુભ પરિણામવાળા હોય છે.
વર્ણ : દરેક પદાર્થનો વર્ણ–રૂપ ત્રાસ ઊપજાવે તેવો હોય છે. સર્વત્ર અંધકાર હોય છે. ભૂમિનું તળિયું અશુચિ પદાર્થથી ખરડાયેલું હોય છે. - ગંધ : નરકની ભૂમિ લોહીમાંસ જેવા પદાર્થોમાંથી સદા દુર્ગધવાળી હોય છે.
રસ : નરકના પદાર્થો નીરસ અને કડવાશવાળા હોય છે.
સ્પર્શ : નરકના પદાર્થો અત્યંત ઉષ્ણ કે શીત હોય છે તથા ઝેરી ડંખ જેવા પીડાકારી હોય છે.
અગુરુલઘુ : અનેક દુઃખોવાળાં પરિણામ હોય છે.
શબ્દ : અંદર અંદર મારો, કાપો બોલતા હોય છે. બચાવો, બચાવો બોલતા હોય છે.
૩. અશુભદેહ : અશુભ નામકર્મના ઉદયથી શરીર હંડક સંસ્થાનવાળું, અવયવો બેડોળ, વૈક્રિય હોવા છતાં મલિન પદાર્થોવાળું હોય છે. અધિક અધિક અશુચિવાળું અને બીભત્સ હોય છે.
૪. અશુભ વેદના: સાતે ભૂમિઓની વેદના અધિક અધિક તીવ્ર હોય છે, તેના ત્રણ પ્રકાર છે. ક્ષેત્રકૃત, પરસ્પરોહીરિત, પરમાધામીકૃત.
૧. ક્ષેત્રકૃત વેદના : પ્રથમ ત્રણ ભૂમિ અત્યંત ઉષ્ણ હોય છે. મોટી ભઠ્ઠીઓની ગરમીમાં તે જીવોને ઠંડક લાગે, તેવી ઉષ્ણતા હોય છે.
૩૨
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org