________________
તાડન મારન છેદન ભેદન, વેદન બહુવિધ પાઈ; ક્ષેત્રવેદના આદિ દઈને બેદભેદ દરસાઈ.
પુદ્ગલરાગે નરકવેદના વાર અનંતી વેદી; પુણ્યસંયોગે નરભવ લાધો, અશુભ યુગલગતિ ભેદી.
૨૭
નરકમાં જન્મ લઈને જીવે શું મેળવ્યું ? તાડન, મારન, છેદન, ભેદન જેવી અનેક પ્રકારની વેદના પામ્યો. નરકના સ્થાનની ક્ષેત્રજનિત વેદના જાણીને જીવના ક્રૂર પરિણામ વિરમી જાય. નરકની આવી યાત્રા તો જીવે કેટલી વાર કરી. આત્મપ્રેમને ત્યજીને પુદ્ગલના રાગે જીવે એવા દુઃખનાં કારણો સેવ્યાં કે જે વડે તે આવું દુ:ખ પામ્યો. છતાં ઘણાં દુ: ખ પછી જેમ સુખ પામે તેમ પુણ્યરાશિ ભેગી થતાં નરભવ પામ્યો. નરકમાંથી નીકળી વળી તિર્યંચમાં નાના જંતુ અને પશુપણે જન્મ પામી દુ:ખને સહન કરી પુણ્યયોગે નરક તિર્યંચના યુગલને (જોડી)નિવારી આગળ વધ્યો, ત્યારે મનુષ્યજન્મ પામ્યો.
નરકના દુઃખનું વર્ણન જાણીને જીવને તેવા પરિણામથી પાછો વાળી લેવો. આ છે નરકના દુઃખનું વર્ણન, નારકી નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પણ તેનાં પરિણામ અત્યંત હલકાં હોય છે.
૨૬
દ્રવ્યલેશ્યા આશ્રયીને નાકને અશુભ લેશ્યા હોય છે.
ભાવલેશ્યા આશ્રયીને છ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પ્રમાણ સમ્યગ્દષ્ટિ જીવોને અનુસારે અલ્પ છે. લેશ્યા એટલે કષાયરંજિત જીવના પરિણામ કે અધ્યવસાય છે.
છ લેશ્યા : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ. પ્રથમ ત્રણ અશુભ, પછીની ત્રણ શુભ છે.
રત્નપ્રભામાં કાપોત, શર્કરાપ્રભામાં કાપોત પણ તીવ્ર સંક્લેશવાળી, વાલુકા પ્રભામાં કાપોત નીલ, પંકપ્રભામાં નીલ, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેશ્યા, તમઃપ્રભામાં કૃષ્ણ, મહાતમઃ પ્રભામાં તીવ્ર કૃષ્ણલેશ્યા હોય છે. તે તે ભૂમિમાં ઉત્પન્ન થતાં નારકોની આવી અશુભ લેશ્મા હોય છે.
નારકજીવોના પૌદ્ગલિક પરિણમનના પ્રકારો :
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org