SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ સ્થાનોમાં અસંખ્યવાર જન્મ્યો. ત્યાંથી સ્થાન બદલી વળી જળકાયજન્ય જન્મો ધારણ કર્યા. ત્યાં તપ્યો, ઊકળ્યો, ઠર્યો એમ અનેક દુઃખો સન્ન કર્યા. ત્યાર પછી અગ્નિકાયજન્ય, વાયુજન્ય અને વનસ્પતિરૂપે તે તે સ્થાનોમાં અનેક જન્મો ધારણ કર્યા. ત્યાં અસંખ્ય કાળ ગુમાવ્યો. ત્યાર પછી બાદર-સ્કૂલપણું પામ્યો. એકેન્દ્રિય મટી બેઈન્દ્રિયપણું પામ્યો. ત્યારપછી ક્રમે કરીને પંચેન્દ્રિયપણું પામ્યો. લહી ક્ષયોપશમ મતિજ્ઞાનકો પંચેન્દ્રિય જબ લાધી; વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી. ૨૫ જેમ જેમ જીવનો ઈન્દ્રિય વિકાસ થતો ગયો તેમ તેમ તેની મતિજ્ઞાનની શક્તિનો ઉઘાડ થતો ગયો. પંચેન્દ્રિયપણામાં મતિજ્ઞાનનો વિશેષ ઉઘાડ થયો. મતિજ્ઞાનની શક્તિ આત્માની છે પરંતુ કર્મસહિત સંસારીજીવના જ્ઞાન ઉપયોગના વ્યાપાર ઇન્દ્રાધીન છે. અર્થાત અન્યોન્ય સંબંધિત છે. જેમકે મનુષ્યને આંખ હોય, જોવાની શક્તિ હોય, જ્ઞાન ઉપયોગ હોય છતાં સૂર્યના પ્રકાશ વગર તે પદાર્થને જોઈ શકતો નથી. સૂર્યનો પ્રકાશ હોય અને આંખમાં પદાર્થને જોવાની ઇન્દ્રિય વ્યાપાર ન હોય તો તે પદાર્થને જોઈ શકતો નથી. આમ સંસારી જીવને ઇન્દ્રિય અને જીવની સ્કૂરણાનો અન્યોન્ય સાંયોગિક સંબંધ છે. પૂર્વજન્મોમાં અનંતકાળ કેવળ દેહભાવથી ગાળ્યો હોવાથી દેહ સિવાય અન્ય કોઈ સુખના સાધનને જાણ્યું ન હતું. દેહ જ તેના સુખનું સાધન છે તેવા સંસ્કારબળે તે પુગલનો રાગી થઈ જે જે સ્થાને જે જે ઇન્દ્રિયો મળી છે તે પ્રમાણે તેમાં આસક્ત થયો. ચૈતન્યસ્વરૂપ આત્મા પુદ્ગલજનિત પરભાવને કારણે કર્મબંધન કરે છે, અને તેને અનુરૂપ ફળ ભોગવે છે. અજ્ઞાનવશ તે આવા કર્મફળથી પડતા દુ:ખને જાણતો નથી. પંચેન્દ્રિયપણું પામીને કોઈ ભવિતવ્યતાને જોરે એવા ક્રૂર પરિણામ કરી બેસે છે કે તેને યોગ્ય કર્મફળ ભોગવવા દુઃખદાયક એવા નરકમાં તે જન્મ પામે છે. 30 પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy