________________
જીવને સન્માર્ગ છે. સન્માર્ગ – મોક્ષમાર્ગ જીવને આ મનુષ્યભવમાં જ સુલભ છે. સાંસારિક – પૌદ્ગલિક ભોગો તો જીવને પૂર્વે મળ્યા હતા તેથી કંઈ તેને તૃપ્તિ થઈ ન હતી. અને પરિણામે દુ:ખ જ પામ્યો હતો. હવે શા માટે એ દુઃખોનો ભાર વધારવો ? ક્ષણે ક્ષણે પલટાતાં માયાવી સુખોમાં રાચવું, તે મનુષ્યજન્મ વ્યર્થ ગુમાવવા જેવું છે. માટે સમ્યગૃષ્ટિ આત્મા દેહનો નેહ ત્યજી આત્મ સન્મુખ થાય
કાલ અનંત નિગોદધામમેં, પુદ્ગલ રાગે રહિયો; દુઃખ અનંત નરકાદિકથી તું, અધિક બહુવિધ સહિયો. ૨૩
પૂર્વે તું ક્યાં હતો તે હાલ તારા જ્ઞાનનો વિષય નહિ બને. માટે શાસ્ત્રકથન ઉપર શ્રદ્ધા રાખીને શ્રવણ કર અને સમજવા પ્રયત્ન કર કે અનંતસુખના ધામમાં જવાને બદલે તું શું કરી રહ્યો છું ? શાને માટે કરે છે ! અંતે તે શું પ્રાપ્ત કર્યું ? શું ગુમાવ્યું?
સર્વજ્ઞના જ્ઞાન વગર જીવની સંસારયાત્રાની ભાળ કોણ આપી શકે તેમ છે !
“કાળ અનંત નિગોદ ધામમેં !' કાળ શું છે? ક્ષણે ક્ષણે વસ્તુના પરિવર્તનને સહયોગ આપતું નિયામક તે કાળ છે, બાળવયથી યુવાની તરફ અને યુવાની માણી ન માણી ત્યાં વૃદ્ધવસ્થા આવી તેમાં કાળ નિયામક છે. કંઈ જાતિમાં કયા સ્થાને કેટલો કાળ વીત્યો ત્યાં કાળ નિયામક છે. સમયે સમયે પરિવર્તન પામતું વિશ્વ અપેક્ષાએ કાળને આધીન છે. કાળની ફાળ એટલે મૃત્યુ. જીવ માત્ર મૃત્યુને આધીન છે.
આવો કેટલો કાળ સંસારની યાત્રામાં ગાળ્યો ? પાંચ પચીસ આંકડાથી તેનાં લેખાં મંડાતાં નથી. “અનંત' એ આંકડાશાસ્ત્રથી પર છે. એ અનંતને કાળ સાથે જોડીને જ્ઞાની પુરુષોએ કહ્યું કે અનંત કાળમાં તું દીર્ધકાળ એવા એક સ્થાને રહ્યો હતો કે જ્યાં સર્વજ્ઞ સિવાય તારી દશા કોઈ જાણતું જ ન હતું. ત્યાં કેવી ભીડમાં રહ્યો ? સોયના અગ્રભાગ જેટલી જગામાં અનંત જીવરાશિ સાથે તું
૨૮
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org