SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સૌ પ્રથમ ભ્રમ એ થયો છે કે આ રૂપ–દેહ મને જે દેખાય છે તે જ હું છું. અને નિત્ય રહેવાવાળો છું. દેહના સુખે સુખી અને દુખે દુખી છું. આ દૃશ્ય જગતના પદાર્થો ભોગવવા જેવા છે. આ જે સંબંધો લઈને જન્મ્યો છું તે જ મારા કાયમના સ્વજનો શુભાશુભકર્મની પ્રકૃતિના ઉદયે સુખદુઃખ મળે છે તેને બદલે તે માને છે, અને અમુક સંયોગથી સુખ છે અને અમુકના સંયોગથી દુઃખ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ મેળવવાનો નિરંતર પ્રયત્ન. ધર્મથી સુખ છે તે તો તેના મનમાં ઊતરતું નથી. મોક્ષ જેવી કોઈ શુદ્ધ અવસ્થામાં તેને શ્રદ્ધા નથી. આ તેના માનસિક વલણની વિચિત્રતા કે માન્યતા છે. હવે આગળની વાત વિચારીએ તો માનવ જન્મ સાથે મળેલી અદ્ભુત વિચારશક્તિનો પૌલિક વ્યર્થ વ્યય બહારમાં કંઈક બનવાની, થવાની, મેળવવાની નિરંતર દોડ. ક્યાંક અસદેવ, અસતગુરુ કે અસતધર્મમાં સતની માન્યતા અને તે પ્રકારે ધર્મ કરવાનો ભ્રમ. સર્વજ્ઞદેવ, મહાવ્રતધારી નિગ્રંથ મુનિ કે પરમાર્થ દયારૂપ ધર્મનું અજ્ઞાન, કે વિપરીત જ્ઞાન, અશ્રદ્ધાન. કષાય અને વિષયના સંયોગમાં પોતે તે પ્રકૃતિના ઉદય જેવો છે તેવી માન્યતા અર્થાત જીવન જીવરૂપે, ચૈતન્યરૂપે, જ્ઞાનસ્વરૂપે અસ્વીકાર્ય તે જ મિથ્યાત્વ છે. અર્થાત્ દેહમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ છે. ભવસ્થિતિ પરિપાક થતાં જીવની કર્મોની સ્થિતિ હીનતા પામે છે ત્યારે તેને દેહનો નેહ, તથા દેહમાં આત્મબુદ્ધિ નષ્ટ થાય છે. તે સમ્યગુશ્રદ્ધાને પ્રાપ્ત કરી આત્મામાં આત્મબુદ્ધિ પામે છે. તે આત્મબુદ્ધિ વડે વિચારે છે, ક્યાં તો જીવને સંસારમાર્ગ છે ક્યાં તો કયાંક ને કરવાની આજ્ઞાન, કે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy