SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલસંગ નાટક બહુ નટવત, કરતાં પાર ન પાયો; ભસ્થિતિ પરિપક્વ થઈ તબ, સહેજે મારગ આયો. ૨૧ પુદ્ગલ-દેહના સંગે જીવે કેવા પ્રકારનાં નાટક ભજવ્યાં ? પૂરી સૃષ્ટિની પ્રદક્ષિણા કરી. અનેક પ્રકારનાં શરીર બનાવીને સુખની આશાએ તેમાં રહ્યો. આયુષ્યકર્મને આધીન દેહ છૂટી જતાં નવા દેહને ધારણ કર્યા. આમ કંઈ પાર ન પામ્યો. દેહમાં રહેલી ઇન્દ્રિયોની અનુકૂળતા મળતાં તેમાં સુખ માન્યું. પ્રતિકૂળતા મળતાં દુઃખ માન્યું. એક જ જન્મમાં કેટલાયે પદાર્થોને પોતાના માન્યા, તેના વિયોગે રડ્યો, સંયોગે હસ્યો, આમ અનેક પ્રકારે નાટકના પડદા પરની ચેષ્ટાઓ કરી. જ્યાં જે દેહ મળ્યો તેને જ પોતાનું માની ખૂબ રાચ્યો. પરંતુ જેમ લક્કડખોદ પક્ષી વિના હેતુ લાકડાને ચાંચ માર્યા કરે અને કોઈ આકૃતિ રચાઈ જાય તેમ દુઃખ સહન કરતાં, કોઈ બોધવચનો શ્રવણે પડતાં યોગાનુયોગ જીવને સત્ સ્વરૂપનું ભાન થયું. તેના ભવનો પરિપાક થયો અને જીવને ઉત્તરોઉત્તર તેવા યોગ મળી ગયા. માનવજન્મ મળ્યો, ઉત્તમ સંસ્કારયુક્ત કુળ મળ્યું. માતાપિતા મળ્યાં. ધાર્મિક ક્ષેત્ર મળ્યું. સંતોનો સમાગમ અને બોધ મળ્યો. વળી સવિશેષ પોતાની ભવસ્થિતિનો પરિપાક થયો. કર્મમલ ક્ષીણ થયા, આત્મશક્તિ જાગૃત થઈ અને તેને સત્નો માર્ગ સહેજે પ્રાપ્ત થયો. પુદ્ગલરાર્ગે દેહાદિક નિજ, માન મિથ્યાતિ સોય; દેહગૃહનો નેહ ત્યજીને, સમ્યગ્દષ્ટિ હોય. ૨૨ જીવની ચારે ગતિના ભ્રમણનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ આશ્રવનો મુખ્ય પ્રકાર છે. જીવને અનંત પ્રકારની કર્મવર્ગણા વળગેલી છે. તેમાં મુખ્ય મોહનીયકર્મની મિથ્યાત્વ પ્રકૃતિ છે. મિથ્યાત્વનો અર્થ જ ખોટું – અસત્ છે. વળી તે મોહનીય કર્મની પ્રકૃતિ હોવાથી તેનું અપલક્ષણ એ છે કે ખોટાને સાચું અને સારું મનાવવાનો ભ્રમ પેદા કરે. ૨૬ આ ભ્રમ ક્યાં ક્યાં સેવાય છે ? Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy