SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કે સુધારવા મોકલે, પણ જો તું વિચારે કે તું આ જન્મમાં છું તો પૂર્વજન્મમાં હતો. ત્યાં તારાં માતા-પિતા કોણ હતાં ? તેમનાં નામ આજે કેમ લખતો નથી ? સુધારતો નથી ? અનંતકાળના જન્મમાં માતાપિતાદિ સંબંધોની વિચિત્રતા તું જાણે છે ! કલ્પના કર કે તું આ દેહ ત્યજી મરણ પામ્યો, અને તારી જ બહેનની કુક્ષીએ જન્મ્યો, ભાઈ મટી ભાણેજ થયો. વળી કોઈ જન્મમાં તું પુત્રરૂપે મરણ પામ્યો, અન્યત્ર કન્યા તરીકે જન્મ્યો. પંદર વર્ષની કન્યા થતાં તને તારા જ પિતા સાથે લગ્ન યોગ થયો. પુત્ર મટી પત્ની થયો. કોઈ જન્મમાં તું કોઈની પત્ની રૂપે હતો ત્યાંથી મરણ પામ્યો, ઘણા જન્મો કરી પુત્ર તરીકે જ્યાં જન્મ્યો તે જીવ પૂર્વે તારી પત્ની હતી. આમ તું પતિ મટી પુત્ર થયો. આમ અનંતીવારના જન્મમાં તેં નવા દેહ ધારણ કર્યા અને નવા સંબંધો પામ્યો. પણ ભાઈ ! ‘તું જન્મ્યો ત્યારે નગન'' મર્યો ત્યારે નગન પછી તું ક્યાંનો છગન કે મગન ?'' કુદરત નિયમબદ્ધ છે. જો દરેક જન્મના સંબંધો અન્ય જન્મોમાં સાથે જ આવતા હોત તો કેટલો ગૂંચવાડો ઊભો થાત ? કોને પત્ની કહેવી, કોને પતિ કહેવો, કોણ માતા અને કોણ પિતા ? પૂર્વજન્મના સંબંધો તે તે દેહ છૂટતા સમાપ્ત થાય છે. નવા જન્મમાં જીવને નવા ખેલ કરવા પડે છે. તેમાં પત્ની માતા બને, પુત્ર પિતા બને. આવા ભેદ કે પૂર્વજન્મનું જ્ઞાન કોઈ જ્ઞાની પાસેથી જાણવા મળે તો જીવને જગતનું આ જન્મમરણનું વિચિત્ર નાટક સમજાય. તે સિવાય તો જીવે અનંતજન્મોમાં અનંતવાર આવા સંબંધોને પોતાના માન્યા તેમા ઇષ્ટના સંયોગે સુખ અને અનિષ્ટના સંયોગે દુ:ખ માનીને કાળ ગુમાવ્યો. પરંતુ સાચો ભેદ જ્યારે સમજમાં આવ્યો ત્યારે તેણે આવા જન્મ મરણના કારણોનો પુદ્ગલના રંગનો ત્યાગ કર્યો. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૨૫ www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy