SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણમાત્રમાં પોતાનો શુદ્ધસ્વભાવ પ્રગટ થાય છે. અગ્નિના સ્પર્શથી જેમ ઘાસની ગંજી બળીને ભસ્મ થઈ જાય છે, તેમ નિજગુણ પ્રગટ થતાં પૌદ્ગલિક રાગ છૂટી જાય છે. ઇલાચીકુમાર દોર પર નાચી રહ્યો છે. નાચતાં નાચતાં થાક્યો છે. વાસ્તવમાં કોઈ સંસ્કાર જાગૃત થતાં પૌદ્ગલિક નટી પ્રત્યેના રાગથી થાક્યો હોય ! તેમ મુનિદર્શનના નિમિત્તમાત્રથી અંતરાત્મા જાગી ઊઠે છે. અહો ! અનંતકાળથી હું આમ રખડ્યા કરું છું. મુનિદર્શને તેના આત્મામાં રહેલો નિજગુણ જાગૃત બન્યો. તે જ ક્ષણે તેનો નડી પ્રત્યેનો રાગ નષ્ટ થઈ ગયો. જેમ ઇલેક્ટ્રિક સ્વિચને ચાલુ કરતાં જ વીજળીનો દીવો પ્રકાશિત થાય છે, તેમ ઉત્તમ નિમિત્ત મળતાં પોતામાં રહેલો જ્ઞાનગુણ જીવને ભાન કરાવે છે. તું ક્યાં અને તુચ્છ પૌદ્ગલિક પદાર્થો કયાં ! એના રાગે અનંતકાળથી તું આથડ્યો. ભૂલ્યો, રઝળ્યો. હવે જાગૃત થા. દોર પર નાચતો ઇલાચીકુમાર જાગૃત થયો તે જ ક્ષણે રાગની જગાએ વિરાગ પ્રગટ થયો. એ વિરાગની ચિનગારીએ બધા જ પરભાવ અને મોહના સંસ્કારોને સળગાવી દીધા. મોહજનિત વાસનાઓ નષ્ટભ્રષ્ટ થઈ ગઈ અને તે જ ક્ષણે નાચતા એવા ઇલાચીકુમારનો કેવળજ્ઞાનરૂપી નિજગુણ પ્રગટ થયો. એમ જે જીવને ભાન થાય છે તેને બાહ્યપદાર્થોનું આકર્ષણ છૂટી જાય છે. પુદ્ગલરામેં વારા અનંતી, તાત માત સુત થઈયા; કિસકા બેટા કિસકા બાબા, ભેદ સાચ જબ લહિયા. ૨૦ અજ્ઞાનવશ કે અલ્પજ્ઞાનને કારણે જીવને અનંતકાળમાં થયેલા અનંત જન્મ-મરણનો કંઈ ખ્યાલ આવતો નથી. તે તો ઊજળું તેટલું દૂધ માને છે. શુભના યોગમાં માને છે કે આ જગતમાં હું સુખી છું. મારે આવા જન્મ-મરણ જેવા દ્વંદ્વોનો વિચાર કરવાની શી જરૂર ? આ જન્મ ધારણ થતાં તું રમેશચંદ્રનો પુત્ર કહેવાતો હોય અને તારા નામ પાછળ કોઈ સુરેશચંદ્ર લખે તો તું તરત જ તે સુધારે ૨૪ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy