SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર તેને નવાં નવાં શરીર અપાવે છે. વળી તે તે ગતિકર્મના નિમિત્તે જીવ ચારે ગતિમાં ભમે છે. હવે જો જીવને સદ્ગુરુયોગે જ્ઞાન થાય કે પુદ્ગલના સંગથી હું કંઈ સુખ તો પામ્યો નથી. માટે પુદ્ગલનો મોહ ત્યજી દઉં અને સદ્બોધના આધારે આત્મસન્મુખ થાઉં તો તે ક્ષણથી આત્મા જ્ઞાનસ્વરૂપને પામી શિવ થાય છે. પુદ્ગલના મોહે ભોગોના વિષયોનું જીવ ચિંતન કરે છે, અને તે તે વાસનાના યોગે જેવી વાસના હોય તેવો પુનઃ જન્મ ધારણ કરે છે. જો વાસનાજ વિસર્જન થઈ જાય તો તેનું જન્મરૂપ પરિભ્રમણ સમાપ્ત થાય છે. પુદ્ગલ રસરાગી જગ ભટકત, કાલ અનંત ગવાયો; કાચી દોય ઘડીમેં નિજ ગુણ, રાગ ત્યજી પ્રગટાયો. ૧૯ આ જગતમાં અનંત પ્રકારની જડ ચેતનની અવસ્થાઓની વિચિત્રતાઓ જણાય છે, તેનું કારણ જડ પુદ્ગલ પદાર્થોનું સ્વયં નિરંતર પરિવર્તિત થવાનું લક્ષણ છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને નિત્ય હોવા છતાં જે પ્રકૃતિજન્ય વિચિત્રતા જોવામાં આવે છે તે પૌદ્ગલિક વિષયોના રસમાંથી ઉત્પન્ન થતા વિકારો છે. વિકારજનિત વાસના જીવને અનેકવિધ વિષયોનું આકર્ષણ પેદા કરે છે. અને તે તે પદાર્થના આકર્ષણથી પ્રેરાઈને જીવ આખા સંસારમાં દોડાદોડ કરે છે. અનંતકાળથી સંસારની યાત્રા કરવા છતાં પણ જીવ સુખ પામ્યો નથી. પુણ્યયોગે પોતે સુખમાં હોય તો પણ તે જગતના જીવોની વિચિત્ર દશાઓ . અને દુઃખ જોઈને વિચારે છે કે આવા દુઃખનું કારણ શું હશે ? જ્યાં સુધી તેને એનો જવાબ મળતો નથી, ત્યાં સુધી તે જંપીને બેસતો નથી. એમ વિચાર કરતાં કરતાં તેને સમજાય છે કે અનંતોકાળ આ પુદ્ગલના રંગરાગમાં ગુમાઈ ગયો. હવે જીવ જાગૃત થા. કંઈક વિચાર. પૂર્વની કોઈ આરાધનાને બળે તે અંતરમુખ થાય છે ત્યારે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૨૩ www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy