________________
છતાં તું તેના સંગે રંગાઈ જવાથી માને છે કે આ દેહ તે હું છું. ભાઈ ! જે વસ્તુ તારાથી, લક્ષણથી ભિન્ન છે તે ક્યારેય પણ એકરૂપ થઈ શકે તેમ નથી. મ્યાન એ અંદર રહેલી તલવારનો આકાર છે, પણ તલવાર નથી, તેમ તારા આત્માને આ દેહની મળેલી આકૃતિનો આકાર છે. પણ દેહ તે આત્મા નથી, અને આત્મા તે દેહ નથી. બંને ભિન્ન છે. આ વાસ્તવિકતાનું ભાન થતાં જીવનો દેહભાવ દૂર થાય તો તે પુદ્ગલનો ગુલામ મટી સ્વરૂપનો સ્વામી થાય.
પુદ્ગલ મોહ પ્રસંગે ચેતન ચારુ ગતિમેં ભટકે;
પુદ્ગલ નેહ તજી શિવ જાતાં, સમય માત્ર નહિ અટકે. ૧૮
પુદ્ગલનો પથારો અજબનો છે. તમારી આંખ જે જુએ તે પુદ્ગલ, તમારું કાન જે કંઈ સાંભળે તે પુદ્ગલ, તમારું નાક જે કંઈ સંઘે તે પુદ્ગલ, તમારી જીભ જે કંઈ આરોગે તે પુદ્ગલ અને તમારી. ત્વચા જે કંઈ સ્પર્શે તે બધું જ પુદ્ગલ, દૃશ્યમાન આખું જગત પુદ્ગલ જ પુદ્ગલ. તારા ઘર, ધન, ધાન્ય અનેક વસ્તુઓ સર્વે પુદ્ગલ છે.
આશ્ચર્ય ! પુદ્ગલને જોનાર ચેતન છે, પરંતુ ચેતન સ્વયં ચેતનને જોઈ શકતો નથી, જાણી શકતો નથી અને તેની સ્કૂલ નજરે પુદ્ગલ જ્યાં ત્યાં જણાય છે. વળી આ પુદ્ગલ તેની ઇન્દ્રિયોને ગમતા વિષયો પૂરા પાડે છે. એટલે જીવ તેના પ્રત્યે નિરંતર આકર્ષાયેલો જ રહે છે, દેહધારી જીવ દેહમાં આયુષ્યકર્મથી બંધાયેલો હોય છે. વિષયો ભોગવતાં ભોગવતાં તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે, અને વિષયની લોલુપતાથી સેવેલી દેહવાસનાને કારણે તે પુનઃ જન્મ ધારણ કરે છે. આમ પુનઃ જન્મ ધારણ કરતો જીવ નારક તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચારે ગતિમાં આથડે છે.
જ્ઞાનીજનો કહે છે કે જે સમયે જીવ પુદ્ગલ પ્રત્યેની મૂર્છા ત્યજી દેશે તે જ સમયે સ્વયં શિવ થશે. પુદ્ગલનો મોહ છૂટી જતાં જીવ એક ક્ષણમાત્ર શિવરૂપે પ્રગટ થતાં અવરોધ પામતો નથી. કેમકે પુદ્ગલના સંયોગે જીવને રાગાદિ ઉત્પન્ન થાય છે. રાગાદિનું નિમિત્ત પામીને જીવ પરિભ્રમણ થવા રૂપ કર્મોને ગ્રહણ કરે છે. કર્મોનો
૨૨
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org