________________
કરવામાં પોતે સામર્થ્યવાન છતાં કેવો રાંક બનીને રહ્યો !
હે માનવ ! તને મળેલી અદ્ભુત વિચારશક્તિ જો તેની કરવટ બદલે, સંજ્ઞાઓને ત્યજી દે, તો પુદ્ગલ સપ્ત ધાતુના પૂતળાને તેના મૂળ રૂપે જાણે પછી દેહનો નેહ પરિહાર પામે, વળી જે ક્ષણે તું પુદ્ગલના મોહને ત્યજીને આત્મસ્વરૂપને પામે તે જ પળથી તું જગપતિનું બિરુદ પામે છે. પુદ્ગલ પ્રત્યે રાખેલો નેહ તને પુદ્ગલનો પતિ બનાવી શકે તેમ નથી કારણ કે તેનું સ્વામિત્વ તારા આયુષ્યકર્મને આધીન છે અને નિરોગીતા શાતાવેદનીયને આધીન છે. ખરી જતાં એક વાળનો પણ તું માલિક થઈ શકતો નથી. એક તો પુદ્ગલની ગુલામી કરવી અને છતાં તે નિરંતર પડન અને સડનના લક્ષણવાળું તને ક્યારે દગો દે તેનો કંઈ ભરોસો નહીં. તો પછી ચેતન જેનો તું સ્વામી છું કે થઈ શકે છે. જે તારા પોતાની માલિકીનો છે તેનો નેહ કરીને સ્વયં પરમપવિત્ર એવા આત્માને સ્વયં સ્વામીપણે પ્રગટ થવા દે.
જો કે દીર્ઘકાળના સંસ્કાર એવા છે કે પરને આપણે પોતાનું માન્યું છે. જે જાતિમાં જન્મ્યો ત્યાં જ પોતે પોતાનું ઘર માનીને બેઠો, અને એ ઘરને હાનિ થતાં પોતે દુ:ખી થયો. આવી ભ્રાંતિમાં જીવ મૂંઝાઈ ગયો છે. સ્વપ્નમાં શરીરની પીડાને પીડા માની રડવા લાગીએ છીએ. ભયભીત થઈએ છીએ. નામધારી શરીરને જો કોઈ બોલાવે તો અતિઠંડીમાં ગોદડાં ઓઢીને સૂતેલો પણ તું નામ સાંભળીને જાગૃત થઈ જાય છે કે ઓહો ! આ તો મારા નામનો પોકાર છે, હું જ આ નામનો છું.
-
અનામી એવો તું પુદ્ગલના સંયોગે નામ પામ્યો અને નામમય બની ગયો. મૂળ સ્વરૂપનું વિસ્મરણ થયું. પછી તો પુદ્ગલની ખુશામતમાં મોટો રાજા બનવા છતાં ભિખારી જ રહ્યો. રાંક થઈને જીવતો રહ્યો. તું અનંત વૈભવનો, સમતાદિ ગુણનો સ્વામી છું તે વાત પરાઈ બની ગઈ. પણ તું વિચાર કે જ્યારે તું માને છે કે આ દેહાદિ મારા છે ત્યારે તું તેનો જોનારો છું કે તે સ્વરૂપે છું ! જો તે સ્વરૂપે હોય તો તને હાદિ ભિન્નપણે જણાય કેવી રીતે ?
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૨૧
www.jainelibrary.org