________________
રચના કેવી અશુચિથી ભરપૂર છે ! જગતમાં કોઈ પણ પદાર્થ એવો નથી કે આ સપ્ત ધાતુને શુદ્ધ કરી શકે.
જળ વડે સ્નાન કરેલું શરીર પુનઃ મલિન થઈ જાય છે. અને શરીરને સ્પર્શેલું જળ પણ સ્વયં મલિનતા પામે છે. એવા દેહને શુદ્ધ કરવાનો પ્રયાસ વ્યર્થ છે. દેહનું આવું અશુચિમય સ્વરૂપ સમજમાં આવે તો પુદ્ગલનો રાગ છૂટે છે. જીવ સાથે દેહના નેહનું કારણ જે કર્મમળ છે તે દૂર કરવાનો પુરુષાર્થ કરે, તો આત્મા પવિત્ર થાય. દેહ તો પવિત્ર થવાનો નથી પરંતુ એ દેહને ધારણ કરી જો સંયમાદિને આરાધે તો દેહના સહયોગથી આત્મા પર લાગેલી કર્મરજની મલિનતા ટાળીને સ્વયં પવિત્રપણે પ્રગટ થાય.
જો જીવ મનથી વિચારે તો તેને સમજાવ કે આ દેહ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે પ્રારંભમાં પણ અશુચિમાં રહ્યો. જ્યારે યુવાવય પામ્યો, સપ્ત ધાતુનું શરીર વિકાસ પામ્યું ત્યારે પણ એ મલિનતાવાળો જ હતો. અને જ્યારે દેહ છૂટી ગયો ત્યારે પણ સડવા લાગ્યો. આમ પ્રારંભથી અંત સુધી ક્યારેય પણ શરીરની અપવિત્રતા દૂર થઈ શકે તેમ નથી. તેને શણગારવાથી કે સાચવવાથી શું લાભ છે ? આવું ભાન થતાં જીવને આત્મા પ્રત્યે દૃષ્ટિ થાય છે.
પુદ્ગલ પિંડ લોલુપી ચેતન, જગમેં રાંક કહાવે; પુદ્ગલનેહ નિવાર પલકમેં જગપતિ બિરુદ ધરાવે. ૧૭
પુદ્ગલરૂપી પિંડમાં – દેહમાં આસક્ત જીવ કેવા કેવા પદાર્થોની ખુશામત કરે છે ? સુંવાળા સ્પર્શના સુખ માટે, પદાર્થો મેળવવાની નિરંતર ચિતા માટે રસના પદાર્થોના સુખ માટે, તે મધુબિંદુની જેમ લટકી રહ્યો. કાળ કોળિયો કરી જશે તે ભય પણ તેણે જીરવી લીધો.
સુગંધ પાછળ ભમીને મરણને શરણ થયો. અને આંખથી રૂપ જોવા માટે કેટલાયે સ્ત્રીઆદિના પ્રપંચમાં પડ્યો. સુંદર શબ્દના શ્રવણ માટે સંગીતના જલસા, નાટકના ખેલ જોવા કેટલું ધન ખર્મે. તે સ્થાનોમાં જવા કેટલાની ખુશામત કરી. આ સર્વ પ્રકારની ખુશામત
૨૦
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org