________________
પુદ્ગલરાગી થઈ ધરત નિજ, દેહગેહથી નેહ; પુદ્ગલરાગભાવ તજ દિલથી, છિનમે હોત વિદેહ.
૧૬
મોહનીયકર્મની પ્રકૃતિ મુખ્યતઃ મિથ્યાભાવ ઉત્પન્ન કરવાની છે. એ પ્રકૃતિના સંયોગે જીવને નિરંતર વસ્તુ સાથેની મૂર્છા મૂંઝવે છે. વિશેષ જીવની તદ્દન નજીકમાં દેહ છે. વેદનીયકર્મના ઉદયે જીવ શાતાના ઉદયમાં દેહ દ્વારા સુખને અને અશાતાના ઉદયમાં દેહ દ્વારા દુઃખ-પીડાને અનુભવે છે. આમ નિરંતર દેહની સાથે ભાવનું એકત્વ થયેલું છે.
પુદ્ગલ પ્રત્યેના રાગથી જીવ પોતાના દેહ અને દેહ આશ્રિત ઇંદ્રિયો તથા મન, વચન તથા કાયાના યોગમાં આસક્ત થઈને રહ્યો છે. જે ક્ષણે તે પુદ્ગલના દેહના રાગભાવનો ત્યાગ કરે તે જ ક્ષણે તે દેહાતીત દશાને પામે છે. દેહ હોવા છતાં દેહ તેના સુખદુઃખનું કારણ બનતો નથી. જ્ઞાની પુરુષોએ દેહને મળતી શાતાના ઉદયમાં સંયમ આરાધીને દેહના મમત્વને છેદી નાંખ્યું છે. અને અશાતાના ઉદયમાં આશ્રવના નિમિત્તનો ત્યાગ કરી તે જ ઉપસર્ગાદિમાં કેવળજ્ઞાનનું નિમિત્ત નિર્માણ કર્યું છે.
પુદ્ગલરાગી જીવને ગ્રંથકાર પુદ્ગલ સ્વરૂપ જણાવે છે. હે ચેતન ! તું જેને સુંદર દેહ તરીકે જાણે છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? માતાના મલિન ગર્ભમાં લોહી-માંસથી ભરેલા પદાર્થોમાં નવ માસ ઊંધે માથે રહ્યો. વળી ઘણાં કષ્ટ કરીને તારો જન્મ થયો. અર્થાત્ સપ્તધાતુના શરીરને તેં ધારણ કર્યું. આ જગતના સર્વ મલિન પદાર્થોનું દર્શન કરવું હોય તો તે તારો દેહ છે. જન્મ્યા પછી પણ મળમૂત્રમાં પડી રહ્યો. નાકના લીંટ જેવી અશુચિ છતાં જીવે તો તે દશામાં સુખ માણ્યું. મુખમાંથી ટપકતી લાળને ચાટતો રહ્યો. આમ કેટલીયે અશુચિનું સેવન કરવા છતાં દેહમાં નેહ થતો રહ્યો. તે તે ઇંદ્રિયોના સ્પર્શ પામતા દરેક પદાર્થો પણ મલિનતા પામે છે. શરીરના મેલને દૂર કરવા સુંદર સાબુ લગાડ્યો. તે સાબુ શરીરના મેલ સાથે ભળીને દુર્ગંધ ધારણ કરીને શરીર પરથી નીકળ્યો. આમ દરેક પદાર્થમાં ઇંદ્રિયોના સ્પર્શનું પરિણામ તારે જાણવું કે તારા શરીરની
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org