________________
પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી શુભાશુભ આશ્રવ યોગને કારણે થાય છે. ચારઘાતી કર્મના નાશ થવાથી તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાનની શુદ્ધ અવસ્થા છતાં ચાર અઘાતી કર્મ અને કષાયરહિત મનાદિ યોગને કારણે જે આશ્રવ છે. તે ઈર્યાપથક્રિયા પ્રમાણે હોય છે. તેથી કેવળજ્ઞાનીને નવો બંધ નથી. આયુકર્મની સમાપ્તિ થતાં તે કેવળજ્ઞાની યોગનિરોધ કરી અયોગી ગુણસ્થાનને પ્રાપ્ત થઈ સિદ્ધ થાય છે.
પુદ્ગલનો સંગ સર્વથા છૂટી જાય છે, ત્યારે મન, વચન કાયાદિ કાર્મણવર્ગણાનો સર્વ સંબંધ પૂર્ણ થાય છે. એ અયોગી ગુણસ્થાનકે જીવ પૂર્ણ અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે.
સંસારી જીવને આ ત્રણ યોગ-સાધન મળ્યા છે. પરંતુ દેહભાવને કારણે જીવ આ યોગને આત્મબુદ્ધિએ ગ્રહણ કરે છે. મન દ્વારા સંકલ્પ વિકલ્પની ગાંઠ બાંધતો જ જાય છે. પ્રગટ કે અપ્રગટ વાચાનું નિરંતર વ્યર્થ વહન કરે છે. અને શરીરને તો સુખનું સાધન માનીને જિંદગીનો મોટો ભાગ તેની રખેવાળી કરવામાં ગાળે છે. આ ત્રણે યોગમાં થયેલી આત્મબુદ્ધિ વડે તે બંધન કરે છે. જ્ઞાની યોગ અને ઉપયોગનું એકત્વ તોડે છે. ઉપયોગની શુદ્ધિ, સ્થિરતા કષાયરહિતપણાને કારણે યોગથી થતા આશ્રવને રોકે છે.
પુગલ પિંડ થકી નિપજાવે, ભલા ભયંકર રૂપ; પુદ્ગલકા પરિહાર કિયાથી, હોવે આપ અરૂપ. ૧૫
પુદ્ગલનું મૂળ સ્વરૂપ પરમાણુ છે. તેનામાં જોડાવાની અને વીખરાવાની શક્તિ છે. અનંત પરમાણુનો જથ્થો પુદ્ગલ રૂપે ઓળખાય છે. તે પછી રાઈ જેટલો સૂક્ષ્મ હોય કે મેરૂ પર્વત જેવો અતિ સ્કૂલ, એ સર્વ પુગલના પિંડ છે. જીવને એ રાઈ કે મેરૂપર્વત સાથે કંઈ લગાવ નથી. જીવનો લગાવ સવિશેષ દેહરૂપે મળેલા પુગલપિંડ સાથે છે. જ્યાં જ્યાં જે જે પુદ્ગલોને આહારસંજ્ઞા દ્વારા ગ્રહણ કર્યા છે તે પુદ્ગલજનિત જે અવસ્થા થઈ તેને જીવે આત્મબુદ્ધિએ ગ્રહણ કરી. કાદવમાં જેમ પગ ખેંચ્યા પછી નીકળવા માટે જોર કરવા જાય અને શરીર કાદવમાં વધુ ઝૂંપતું જાય. તેમ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org