________________
સુખને જ ચાહે. પરંતુ એ સુખની અભિલાષા કોઈ ગુરુકૃપા વડે જાગે છે. અને સમજાય છે, ત્યારે મન અવશ્ય પુદ્ગલજનિત સુખને ત્યજી દે છે અને નિરાગી તથા નિબંધ એવી દશાને પામીને કૃતકૃત્ય થાય છે. પ્રારંભમાં તે તે પદાર્થોનો ત્યાગ કરવો કઠણ લાગે. પરંતુ જેમ જેમ તે ત્યાગ પછી આત્મિક ભાવના દઢ થશે તેમ તેમ જીવને નિરકૂળતાની સુખ મળશે.
મન વચ કાય યોગ પુદ્ગલથી, નિપજાવે નિવમેવ, પુદ્ગલ સંગ વિના અયોગી, થાય લહી નિજ ભવ. ૧૪
સંસારી જીવને દેહમાં રહેવાના સાધન તરીકે તથા જગત વ્યવહારના બોધ માટે મન, વચન અને કાયાનો યોગ મળ્યો છે. આ ત્રિવિધ યોગ પુદ્ગલજનિત હોવાથી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રમાં વિધાન છે કે યોગાશ્રવ’ યોગ એ આશ્રવનું નિમિત્ત છે.
દેહધારી જીવમાત્ર સવિશેષ મનુષ્યને મન, વચન અને કાયાના યોગ મળેલા છે. આ યોગ નિરંતર પ્રવૃત્તિમય હોય છે. પ્રવૃત્તિ સાથે વૃત્તિનું જોડાણ હોવાથી તે કર્મને આવવાનું કારણ બને છે.
પુદ્ગલના સંયોગથી આત્મામાં થતાં વિશેષ પરિણામને યોગ કહે છે. આત્મસ્ટ્રરણાથી મન જ્યારે મનોવર્ગણાને ગ્રહણ કરી વિચારરૂપે પરિણાવે છે ત્યારે મન-મનોયોગ કહેવાય છે.
આત્મસ્ટ્રરણાથી જ્યારે વચનવર્ગણા – ગ્રહણ કરી શબ્દરૂપે પરિણમાવે છે ત્યારે તે વચનયોગ કહેવાય છે. આત્મસ્કૂરણા વડે કાયા જ્યારે ક્રિયા માટે પ્રવૃત્ત બને છે ત્યારે તે કાયયોગ કહેવાય
પુગલના સંયોગે આત્મામાં થતી ફૂરણાથી યોગ સક્રિય બને છે ત્યારે ઉપયોગમાં ચંચળતા આવે છે. તે ચંચળતાને કારણે આત્મપ્રદેશોમાં કંપ થાય છે ત્યારે કાર્મણવર્ગણા આકર્ષણ પામી આત્મપ્રદેશ સાથે જોડાય છે. તેને કર્મબંધ કહે છે. યોગ નિરંતર સક્રિય હોય છે. તે સમયના પરિણામની શુભાશુભતાને આધારે શુભાશુભકર્મ બંધાય છે. નિરંતર આ ખેલ ચાલ્યા જ કરે છે.
૧૬
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International