________________
સુખ કે દુઃખ કેવી રીતે આપી શકે ? પરંતુ તેલવાળા વસ્ત્ર પર જેમ મેલ ચોંટી જાય છે તેમ રાગાદિભાવવાળા ચેતનની સાથે કરજ ચોટે છે. અને જીવ કર્મથી બંધાય છે.
ચમક પાષાણ જેમ લોઢાને ખેંચી લે છે તેમ રાગાદિ ભાવવાળો આત્મા કર્મોને ગ્રહણ કરી લે છે. જો જીવ પરપદાર્થોના રાગાદિભાવને છોડી દે તો પોતે સદાય અસંગ, નિબંધ અને નિરાગી છે. પુદ્ગલકર્મોના સંયોગે કર્મોની વિક્રિયા ઉત્પન્ન થાય છે ત્યારે જીવ સ્વયં વિકારવાળો જણાય છે. પરંતુ જ્યારે જીવને જ્ઞાન થાય છે કે પુગલનો રાગ તે મારો સ્વભાવ નથી. હું તેનો કર્તા નથી ત્યારે સ્વયં રાગ રહિત નિરાગીપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પોતાનું નિરાગીપણું પ્રગટ થાય
પુગલના સંયોગે, પરના રાગે, પરભાવના યોગે જીવ સંસારીપણાને પામે છે. સંસારીપણામાં કર્મની વિચિત્રતાથી મોટે ભાગે દુ:ખ પામે છે. પુદ્ગલ પરાયી વસ્તુ છે, જડ છે, તેના સંગે કોઈ સુખ મળવાનું નથી. તેવું કોઈ બોધથી ભાન થતાં જીવનો પુદ્ગલ પ્રત્યેનો સુખનો ભાવ છૂટી જાય છે. જીવ સ્વભાવ સન્મુખ થાય છે ત્યારે તે કર્મબંધથી મુક્ત થઈ નિબંધદશાને પામે છે.
શાસ્ત્રકારો કહે છે જીવ અનંતકાળમાં જન્મમરણાદિના યોગે કરીને આ વિશ્વના એક પણ પરમાણુને ગ્રહણ કર્યા વગર રહ્યો નથી. પુદ્ગલ સાથે આવો ગાઢ પરિચય, દુઃખ પડવા છતાં છૂટતો નથી. જીવ એવા ભ્રમમાં રહે છે કે પુદ્ગલને સાચવવાથી જરૂર સુખ મળશે, એવી ઠગારી આશાના સેવનમાં તે નિરંતર દુઃખ જ પામ્યો છે. પુલરહિત નિર્વાણના માર્ગને તેણે જાણ્યો નથી તેથી દુઃખથી ભરપૂર એવા સંસારના સેવનની મથામણ છૂટતી નથી. એક વાર સાહસ કરે. સંતના બોધમાં શ્રદ્ધા રાખી એ પરભાવથી પાછો વળે, અતિક્રમણ કરે તો તેને નિબંધ એવા સ્વરૂપમાં રહેલા સુખની ઝાંખી થાય.
પૌદ્ગલિક સંયોગમાં દુઃખ છતાં સુખની અપેક્ષાએ વળગી રહેલો એ જીવ જો સ્વરૂપના નિરાબાધ સુખને અનુભવે તો ખચિત તે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org