SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય અવસ્થાનું અસ્તિત્વ રહે છે. જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પાવે; પુદ્ગલ સંગ નિવારત તિણ દિન, અજરામર હોય જાવે. ૧૨ સમગ્ર સૃષ્ટિ જન્મ જરા મરણાદિકે કરી વ્યસ્ત છે, દુઃખી છે. આવા દુઃખનું કારણ કર્મવડે થયેલી પરિસ્થિતિ છે. જન્મ-મરણ યુવાની કે વૃદ્ધાવસ્થા આત્માની સત્તામાં પ્રવેશ કરી શકે તેમ નથી. કારણ કે જન્મ એ તો ગતિનામ કર્મનું ફળ છે. કર્મે કરેલા આ વિકારનું આરોપણ આત્મા ઉપર કરીને જીવ પોતાને મૃત્યુ અને જન્મને આધીન માને છે. વાસ્તવમાં આત્મા અને કર્મ બંને ભિન્ન છે. પુદ્ગલ સંગે જીવની આ અવસ્થા સર્જાય છે. અને તેના વડે તે સુખદુઃખ પામતો જણાય છે. એક ક્ષેત્રમાં જીવ અને પુદ્ગલનો સંયોગ થયો છે. વળી કર્મના પરિપાકે પોતે વિવશ બને છે. અને જન્મ-મરણનું અનેક પ્રકારનું દુઃખ પામે છે. પળે પળે પરિવર્તનશીલ એવા રાગાદિ ભાવોને ધારણ કરે છે. નર-તિર્યંચ આદિ જન્મોને ધારણ કરે છે. જો જીવ પુદ્ગલ કર્મનો સંગ છોડી દે તો તે જ ક્ષણે સ્વયં સ્વભાવરૂપે પ્રગટ થાય. જન્મમરણનાં દુઃખ ટળી જાય અને અજન્મા, અજર અને અમરપદને પામે. સ્વપ્નમાં જોયેલું જગત જાગૃત થતાં સમાઈ જાય છે, તેમ જ્ઞાન પ્રગટ થતાં સ્વપ્નવત માણેલા જન્માદિ સમાપ્ત થઈ જાય છે. અને જીવ અમરપદને પામે છે. પુગલરાગ કરી ચેતનકું, હોત કર્મકો બંધ; પુદ્ગલરાગ વિસારત મનથી, નિરાગી નિબંધ. ૧૩ પુગલને આશ્રયીને થયેલા રાગાદિભાવો વડે અજ્ઞાની જીવ પાપકર્મને ગ્રહણ કરે છે તેના વડે બંધાય છે. રાગાદિભાવોનો કર્તા પોતાને માનીને કરોળિયાની જેમ પોતે જ જાળું બાંધી તેમાં ફસાય છે. મોહવશ જીવને ભ્રમ પેદા થાય છે કે અમુક પદાર્થો મને સુખ કે દુ:ખકર્તા છે, વાસ્તવમાં જીવ ચેતનસ્વરૂપ છે, તેને બાહ્ય પદાર્થો ૧૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy