SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયથી થાય છે. કર્માદિથી થતી અવસ્થાઓ તે આત્માનો ગુણ કે સ્વભાવ નથી. કર્મના ઉદય પ્રમાણે તેની અવસ્થા બદલાય છે છતાં આત્મા પોતાની શુદ્ધ સત્તાને ત્યજી દેતો નથી. સ્ત્રી પુરુષની અયોગ્ય ભોગવૃત્તિ તે મોહજન્ય કર્મનો કષાયની વેદ પ્રકૃતિનો ઉદય છે. આ ઉદયાધીન વર્તતા જીવને એવો ભાસ થાય છેહું આ વેદના ચિહ્ન જેવો છું. પરંતુ વેદ તો જન્માંતરે બદલાય છે. પુદ્ગલ સંયોગે થતી આ લિંગની અવસ્થાઓ અનિત્ય અને નિરંતર પરિવર્તનશીલ છે. જ્યારે આત્મા અવિનાશી છે. વપુ (રૂપ) વિનાશી ; અવિનાશી, એ છે ઇનકા વિલાસી વધુ સંગ જલ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી અવેદી પદયુક્ત આત્માને જે આ વેદ-લિંગમય માને છે તે જીવની મૂઢતા છે. તે પ્રકારના લિંગવાળો માનીને જીવની વૃત્તિ તે તે વેદના ભોગ પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જેણે આત્માને અવેદી સ્વરૂપે જોયો તેની વેદ-સંજ્ઞા નષ્ટ થાય છે. બૂઢા બાલા તરૂણ થયા તે, પુદ્ગલકા સંગ ધાર; ત્રિહું અવસ્થા નહીં જીવમેં, પુદ્ગલ સંગ નિવાર. ૧૧ વૃદ્ધાવસ્થા, બાળપણ અને યુવાની એ સર્વ અવસ્થાઓ પુદ્ગલના સંયોગજનિત છે. તે ત્રણે અવસ્થા જીવની નથી. પરંતુ શરીરની અવસ્થાઓના બદલાવાથી જગત જીવને એ દૃષ્ટિએ જુએ છે. આ જીવ બાળક છે, યુવાન છે કે વૃદ્ધ છે. શરીરની આ અવસ્થાઓથી જીવ સદાય ભિન્ન રહેનારો છે. એ ત્રણે અવસ્થાઓ જીવ જાણે ખરો પણ એ ત્રણ અવસ્થારૂપે થાય નહીં. પરંતુ અજ્ઞાનવશ જીવને ભ્રમ જરૂર થાય છે. તેથી બાળપણમાં તે બાળકની ચેષ્ટા કરે છે. રમતગમતમાં કાળ ગુમાવે છે. યુવાનીમાં મદોન્મત્ત બની યુવાનીને દીવાનીમાં ગાળે છે. અને વૃદ્ધાવસ્થા થતાં પોતાને જરાથી ઘેરાયેલી જાણી દુઃખી થાય છે. અજ્ઞાનવશ જીવને ભાન થતું નથી કે બાળક ઇત્યાદિ અવસ્થાઓ પુદ્ગલ આશ્રયી છે. પુદ્ગલનો સંગ છૂટી જાય તો જીવની એક પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy