SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા ક્રોધાદિ અવસ્થાવાળો નથી. પરંતુ અવસ્થામાં ક્રોધાદિની ચેષ્ટા થાય ત્યારે આત્માને તે પ્રકૃતિરૂપ. આવરણ જરૂર આવે છે. માટે ક્રોધાદિ થવા છતાં જો જીવ તે પ્રકૃતિને શમાવે તો તે પ્રકૃતિથી મુક્ત અવસ્થાને પામે છે. પ્રકૃતિ કર્મજન્ય છે, સાંયોગિક સંબંધવાળી છે પરંતુ તે આત્માના સ્વભાવરૂપે નથી. આત્મા કષાયી ક્યારથી થયો ? ભાઈ, વર્તમાનમાં તને જે કષાયનો અનુભવ થાય છે તે પૂર્વજન્મના સંસ્કાર છે. જેમ જન્મેલા બાળકને આહાર - નિદ્રા જેવો શરીરનો સંસ્કાર શીખવવો પડતો નથી, તે તેનો અનાદિકાલીન સંસ્કાર છે. તેમ કષાયનો સંસ્કાર પણ પૂર્વનો છે. વર્તમાનમાં તેમાં અલ્પાધિકતા થાય છે, પણ જો જીવ સ્વભાવના બોધરૂપે પરિણમે તો કષાયથી મુક્ત થાય છે. નરનારી નપુંસક વેદી, પુદ્ગલ કે પરસંગ જાણ અવેદી સદા જીવએ, પુદ્ગલ વિના અભંગ. ૧૦ સૃષ્ટિના પ્રાણી માત્રની પ્રત્યે ત્રણ અવસ્થાઓ છે. તે તે ચિન્ડથી તે અવસ્થાઓ ઓળખાય છે. અને તે અવસ્થા પ્રમાણે જીવને વિજાતીય વેદપ્રકૃતિનો અનુભવ થાય છે. એ ત્રણ પ્રકાર છે : નર (પુરુષ), નારી (સ્ત્રી), નપુંસક (મિશ્ર). આ ત્રણ જાતિમાં રહેલા જીવને નરરૂપે હોય તો સ્ત્રીભોગનો અભિલાષ થાય છે, નારીરૂપે હોય તો પુરુષભોગનો અભિલાષ થાય છે, અને નપુંસક હોય તો બંને ભોગનો અભિલાષ થાય છે. આ અભિલાષને વેદ કહે છે. નરાધિરૂપે પુદ્ગલના સંગે જીવ સ્વભાવે અવેદી છતાં નર, નારી કે નપુંસકવેદી મનાય છે. જો તેને પુદ્ગલ સંગ છૂટી જાય તો નરનારીપણું પણ છૂટી જાય. પુદ્ગલ સંગ વિના એવા વેદના પ્રકારોથી રહિત પોતે અભંગ – અખંડ સ્વરૂપે છે. આત્માનું મૂળ સ્વરૂપ કોઈ વેદયુક્ત નથી તે સદા અવેદી અર્થાત પુદ્ગલના ભોગની અભિલાષા રહિત અસંગ તત્ત્વ છે. જીવ માત્રની આવી કૃત્રિમ અવસ્થા છે તે કર્મની પ્રકૃતિના ૧૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy